Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી રાજ્યના વહીવટમાં વધુ પડતી દખલ કરી રહ્યા હોવાની નારાજગી મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનમંડળે વ્યક્ત કરી છે.

વિધાનપરિષદના 12 સભ્યોની નિમણૂક કરવા સહિત જુદા-જુદા મુદ્દાને લઈને પહેલાંથી રાજ્યપાલ અને મહાવિકાસ આઘાડી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમાં હવે રાજ્યપાલે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં અધિકારીઓ સાથે બારોબાર બેઠક કરવાનું ચાલુ કરી દીધું છે. એની સામે પ્રધાનમંડળે વાંધો ઉઠાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં પૂરપ્રકોપ, રાજ્યમાં આટલા લોકોના નિપજ્યા મોત, લાખો લોકો ઘર વિહોણા થયા 

રાજ્યપાલ ત્રણ દિવસ માટે પરભણી, નાંદેડ અને હિંગોલીની મુલાકાતે જવાના છે, ત્યાં અધિકારીઓ સાથે બેઠક કરીને હૉસ્ટેલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી પુરાવાના છે. એની સામે પ્રધાનમંડળની બેઠકમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ રાજ્ય સરકારના કારભારમાં હસ્તક્ષેપ કરીને બે સત્તા કેન્દ્ર ઊભાં કરવાના પ્રયાસ કરી રહ્યા છે એવી નારાજગી પ્રધાનમંડળે વ્યક્ત કરી હતી.

Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Maharashtra Monsoon Update મમહારાષ્ટ્રમાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસું કેમ પડ્યું ધીમું? કોંકણમાં બ્રેક વાગતાં જ મુંબઈગરાની ચિંતા વધી, જાણો હવામાન વિભાગની આગાહી
Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Exit mobile version