Site icon

15 ઓગષ્ટની ઉજવણી સાદાઈથી થશે. સરકારે બહાર પાડી ગાઈડલાઈન..સ્ટેજ પર માત્ર 5 વ્યક્તિ બેસશે.. વાંચો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

01 ઓગષ્ટ 2020

ગુજરાતમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન સરકારે બહાર પાડી છે. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પર વધુ ફોકસ કરવામાં આવશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ખૂબ ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા આવ્યાં છે અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

ગુજરાતમાં રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં 15 મી ઓગસ્ટની ઉજવણી સાદગીપૂર્ણ કરાશે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન જારી કરી યોગ્ય પગલાઓ લેવાની સૂચના આપી છે. ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવાનું કહેવાયું. સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં 150 ની સંખ્યા રાખવાના આદેશ છે…

રાજ્યમાં 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગરમાં આર.સી.ફળદુ હાજરી આપશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version