Site icon

ગુજરાત : આખરે 18 વર્ષે ચુકાદો આવ્યો, 2002નાં રમખાણો મામલે કોર્ટે 22 લોકોને છોડી મૂક્યા

ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

Gujarat court acquits 22 accused in post-Godhra riots case in which 17 people were killed

ગુજરાત : આખરે 18 વર્ષે ચુકાદો આવ્યો, 2002નાં રમખાણો મામલે કોર્ટે 22 લોકોને છોડી મૂક્યા

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે ( Gujarat court ) 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

28 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ( Godhra riots case ) રેલવે સ્ટેશન પર સ્થાનિક લોકોએ સાબરમતી એક્સપ્રેસના બે કોચને આગ ચાંપી દીધી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો આ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લામાં થયેલી હિંસામાં 22 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  શું સંસદની નવી ઇમારતમાં રજૂ કરવામાં આવશે બજેટ? ચર્ચાએ જોર પકડતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કરી આ સ્પષ્ટતા

આ કેસમાં બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું કે ગોધરાની ઘટના બાદ હાલોલ ગામમાં ફાટી નીકળેલા તોફાનોમાં 17 લોકોના મોત થયા હતા. આ કેસમાં 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 8ના મોત સુનાવણી દરમિયાન થયા હતા. એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે મંગળવાર 24મી જાન્યુઆરી 2023ના રોજ તમામ 22 આરોપીઓને આ આરોપીઓ સામે મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version