Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત : આખરે 18 વર્ષે ચુકાદો આવ્યો, 2002નાં રમખાણો મામલે કોર્ટે 22 લોકોને છોડી મૂક્યા

ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

Gujarat court acquits 22 accused in post-Godhra riots case in which 17 people were killed

ગુજરાત : આખરે 18 વર્ષે ચુકાદો આવ્યો, 2002નાં રમખાણો મામલે કોર્ટે 22 લોકોને છોડી મૂક્યા

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે ( Gujarat court ) 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

28 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ( Godhra riots case ) રેલવે સ્ટેશન પર સ્થાનિક લોકોએ સાબરમતી એક્સપ્રેસના બે કોચને આગ ચાંપી દીધી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો આ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લામાં થયેલી હિંસામાં 22 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  શું સંસદની નવી ઇમારતમાં રજૂ કરવામાં આવશે બજેટ? ચર્ચાએ જોર પકડતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કરી આ સ્પષ્ટતા

આ કેસમાં બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું કે ગોધરાની ઘટના બાદ હાલોલ ગામમાં ફાટી નીકળેલા તોફાનોમાં 17 લોકોના મોત થયા હતા. આ કેસમાં 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 8ના મોત સુનાવણી દરમિયાન થયા હતા. એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે મંગળવાર 24મી જાન્યુઆરી 2023ના રોજ તમામ 22 આરોપીઓને આ આરોપીઓ સામે મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Exit mobile version