Site icon News Continuous Bureau | Mumbai

Gujarat : આજે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને યોજાશે SVNITનો ૨૦મો ‘પદવીદાન સમારોહ‘

Gujarat : રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં ૧૪૩૪ પદવીઓમાં ૧૨૬ પી.એચ.ડી., ૮૦૫ બી.ટેક., ૩૫૫ એમ.ટેક, ૧૪૮ પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે.

Gujarat Graduation Of SVNIT Presided Over By President Draupadi Murmu

Gujarat Graduation Of SVNIT Presided Over By President Draupadi Murmu

News Continuous Bureau | Mumbai 

Gujarat : 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં તા.૧૨મીએ સાંજે ૫.૦૦ વાગ્યે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)નો ૨૦મો પદવીદાન સમારોહ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. જેમાં SVNITના ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાષ્ટ્રપતિ પદે નિયુક્તિ બાદ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સુરતની પ્રથમવાર મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પદવીદાન સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : Suvali Beach : સુરત નજીક આવેલા સુવાલી દરિયા કિનારે આ તારીખ દરમિયાન યોજાશે ‘બીચ ફેસ્ટિવલ’

                 નોંધનીય છે કે, રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં ૧૪૩૪ પદવીઓમાં ૧૨૬ પી.એચ.ડી., ૮૦૫ બી.ટેક., ૩૫૫ એમ.ટેક, ૧૪૮ પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત, ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે. પદવી મેળવનાર કુલ ૧૪૩૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૯૩ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version