Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અધધ આટલા  લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો નોંધાયો- ટ્રાઈ રિપોર્ટ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર.

હાલ માં આવેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 13.6 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ખુબજ મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે ગુજરાતના કુલ મોબાઈલ ગ્રાહકો ઓગસ્ટમાં આશરે 7 કરોડથી ઘટીને સપ્ટેમ્બરમાં 6.8 કરોડ થઈ ગયા છે, એમ અહેવાલ સૂચવે છે. બધીજ મોટી ટેલિકોમ કંપનીઓએ સપ્ટેમ્બરમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો હતો. ટેલિકોમ ઉદ્યોગના સૂત્રોએ કોરોનાની બીજા લહેરની આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડો કારણભૂત ગણાવ્યો છે, જેના કારણે મોબાઇલ કનેક્શન્સ રદ્દ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ ન થયા હતા. સતત બીલ ન ભરવાની અથવા કનેક્શન રિચાર્જ ન કરવાની અસર બે ત્રણ મહિના બાદ સપ્ટેમ્બરમાં જોવા મળી હતી, જ્યારે કનેક્શન્સ નિષ્ક્રિય થઈ ગયા હતા.

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું! દિલ્હીની બૉર્ડર પર ફરી હલચલ તેજ, રાકેશ ટિકૈતે સરકારને આ માંગ પૂરી કરવા  કહ્યું; જાણો વિગતે 

રિલાયન્સ જિયો, જે હાલમાં રાજ્યમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, તેમણે વધુમાં વધુ 10.98 લાખ કનેક્શન ગુમાવ્યા, ત્યારબાદ Viએ લગભગ 1.48 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા અને એરટેલે લગભગ 1.24 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે.

રાજ્યની માલિકીની ટેલિકોમ ઓપરેટર BSNL, જે સતત સબ્સ્ક્રાઇબર્સ ગુમાવી રહી છે, તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં વિપરીત રીતે કેટલાક સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. સમગ્ર ભારતમાં પણ વલણ એ જ રહ્યું, જેમાં મોટાભાગના ટેલિકોમ ઓપરેટર્સે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો છે.

ટ્રાઈના ડેટા અનુસાર દેશભરના ગ્રામીણ મોબાઈલ ગ્રાહકોની સરખામણીમાં શહેરી ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે, ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘટાડો થવા સાથે ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62 ટકા થી ઘટીને 97.6 ટકા થઈ ગઈ છે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ બહાર પાડયા શિવસેનાના કૌભાંડબાજ નેતાઓના નામ, આટલા નેતાઓ સામે EDએ લીધા પગલા; જાણો વિગત
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version