Site icon News Continuous Bureau | Mumbai

ગીરમાં એશિયાઈ કિંગની વસ્તી વધીને 674 થઈ, 30,000 કિ.મી. માં ફેલાયું સાવજોનું રાજ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

જુનાગઢ

Join Our WhatsApp Channel

10 જુન 2020

એશિયાઈ સાવજોની વસતી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણમાં ગર્જના કરતા સિંહો ની વસ્તી વધી રહી છે. એક અંદાજ મુજબ ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા જેટલો વધારો નોંધાયો છે. હકીકતમાં મહામારીને કારણે ગત મહિને થનારી સિંહોની વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી અને તેના બદલે તારીખ 5 અને 6 જૂને પૂનમની રાતની ચાંદનીમાં 'અવલોકન' પ્રક્રિયામાં, જંગલમાં વિહરતા સાવજોની ગણના કરવાનું નક્કી કરાયું હતું. 

ગુજરાતમાં આવેલા આ અભ્યારણ ની આસપાસ 674 સિંહ હોવાનું માલુમ પડયું છે છેલ્લે. 2015માં થયેલી ગણતરી મુજબ 523 હતા જે આટલા વર્ષોમાં 151 સાવજોનો વધારો નોંધાયો છે.

 જ્યારે સિંહો અગાઉ 22,000 કિલોમીટર સુધી માં જ વિહરતા હતા જે હવે 30,000 કિલોમીટર સુધી ના જંગલમાં વિસ્તર્યા છે.

 વન અને પર્યાવરણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, એશિયાઈ સાવજોને બચાવવા માટે ખાસ કેન્દ્ર સરકારની મદદથી એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. આથી જ યોગ્ય કાળજીને કારણે સાવજોની સંખ્યા આટલી બધી વધી શકી છે. આથી હવે જંગલ સફારી કરવા જનારા લોકો માટે સારા સમાચાર છે, પહેલા કરતા ગીરના જંગલોમાં હવે વધુ સાવજો જોવા મળશે...

Kolkata Rains કોલકાતામાં મુશળધાર વરસાદ રસ્તાઓ બન્યા નદી, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ક્યારે આગળ વધશે? હવામાન વિભાગે જાહેર કરી ફરી સક્રિય થવાની ફાઇનલ તારીખ
Monsoon Rain Update મહારાષ્ટ્રમાંથી ચોમાસું ગાયબ? ૨૦ જૂનની આગાહી ફ્લોપ, હવે આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
LeopardTeenager Encounter દીપડો પણ હારી ગયો! ૩૦ મિનિટની જીવલેણ ઝપાઝપીમાં કિશોરે દીપડાને આપી મ્હાત.
Exit mobile version