Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Police: ગુજરાત સરકારે આપ્યો પોલીસ અધિકારીઓને આદેશ, સપ્તાહના આ બે દિવસ ફરજિયાત સાંભળવી પડશે સામાન્ય નાગરિકોની રજૂઆત.

Gujarat Police: પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આપ્યા આદેશ. સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના

Gujarat police officers, they will have to listen to the submission of common citizens on these two days of the week.

Gujarat police officers, they will have to listen to the submission of common citizens on these two days of the week.

News Continuous Bureau | Mumbai 

Gujarat Police:  ગુજરાતના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) આદેશ કર્યા છે. એટલું જ નહિ, આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા પણ સૂચના આપી છે.  

Join Our WhatsApp Channel

આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને ( Citizen Complaint ) સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને સૂચન કરવામાં આવ્યું છે.

ગુજરાતના ( Gujarat  ) દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કચેરીના વાળા હોય તેવા તમામ પોલીસ અધિકારીશ્રીએ ( Police Officers ) દર સોમવાર અને મંગળવારે અરજદારોને મુલાકાત માટે નિયત સમય ફાળવવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Gujarat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ PM નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં કર્યું ઉષ્માભર્યું સ્વાગત, આ રેલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન.

આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના ( Gujarat Government )  પોલીસ મહાનિદેશકશ્રીને સૂચનાઓ આપી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Red Alert મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ગોંદિયા અને નાંદેડમાં શાળાઓમાં રજા જાહેર
Supreme Court hears Shiv Sena symbol dispute અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જારી, આગામી સુનાવણી માટે કોર્ટે આપી નવી તારીખ.
Credit card hacking fraud ક્રેડિટ કાર્ડ હેક થતાં પ્રોડ્યુસરે ગુમાવ્યા ₹૨.૪૩ લાખ, અંબોલી પોલીસમાં FIR
Mumbai gas bill cyber fraud મુંબઈમાં ગેસ બિલના નામે ₹૭૦,૦૦૦ ની ઠગાઈની તપાસમાં ₹૬૩ કરોડના સાયબર કૌભાંડનો ખુલાસો
Exit mobile version