Site icon

Gujarat Rain: કમોસમી વરસાદે ગુજરાતમાં અનેકનો જીવ લીધો… ગૃહ મંત્રી અમિત શાહે લખ્યો ખાસ મેસેજ … જાણો વિગતે…

Gujarat Rain: ગુજરાતભરમાં આજે સવારથી ચાલું થયેલા વરસાદે વેર વિખેર કરી નાંખ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પડવા અને પાકને નુકસાન થતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.

Gujarat Rain Unseasonal rain took many lives in Gujarat... Home Minister Amit Shah wrote a special message

Gujarat Rain Unseasonal rain took many lives in Gujarat... Home Minister Amit Shah wrote a special message

News Continuous Bureau | Mumbai

Gujarat Rain: ગુજરાત ( Gujarat ) ભરમાં આજે સવારથી ચાલું થયેલા વરસાદે ( Heavy Rainfall ) વેર વિખેર કરી નાંખ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે ગુજરાતમાં કમોસમી વરસાદ ( Unseasonal Rain ) ના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પડવા ( Lightning strikes )  અને પાકને નુકસાન થતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ( Amit Shah ) પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં વ્યસ્ત છે.

Join Our WhatsApp Community

અમિત શાહે કહ્યુ હતું કે “ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે ઘણા લોકોના મૃત્યુના સમાચારથી હું ખૂબ જ દુ:ખી છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેઓને ન પૂરી શકાય તેવી ખોટ બદલ હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં રોકાયેલા, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના,” શ્રી શાહે X પર ગુજરાતીમાં પોતાનો મેસેજ લખ્યો હતો.

 ગુજરાતના 252 તાલુકાઓમાંથી 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો…

ભારતીય હવામાન વિભાગ ( IMD ) અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાના કેટલાક ભાગોમાં કેન્દ્રિત હોવાના કારણે સોમવારે વરસાદ ઓછો થવાની ધારણા છે.

આ સમાચાર પણ વાંચોઃ Visa: આ દેશમાં જવા માટે હવે વિઝાની જરૂર નહીં પડે, પહેલી ડિસેમ્બર થી મજા…. જાણો વિગતે અહીં…

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ( SEOC ) ના ડેટા દર્શાવે છે કે રવિવારે ગુજરાતના 252 તાલુકાઓમાંથી 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સુરત, સુરેન્દ્રનગર, ખેડા, તાપી, ભરૂચ અને અમરેલી જેવા જિલ્લાઓમાં ખાસ કરીને ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં માત્ર 16 કલાકમાં 50 થી 117 મીમી સુધીનો વરસાદ થયો હતો. આઇએમડીએ જણાવ્યું હતું કે એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો પર તેનો પ્રભાવ વિસ્તરે છે.

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Sanjay Raut on President Murmu: “રાષ્ટ્રપતિનું મૌન દેશ માટે ઘાતક!” સંજય રાઉતે મણિપુર હિંસા મુદ્દે રાષ્ટ્રપતિ પર સાધ્યું નિશાન; આદિવાસી મહિલાઓનો ઉલ્લેખ કરી પૂછ્યા આકરા સવાલ
Om Birla Removal Process: શું ઓમ બિરલા સ્પીકર પદેથી હટશે? વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનું શું છે ગણિત; જાણો બંધારણીય પ્રક્રિયા અને નિયમો.
Share Market Crash Today: સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટનો જોરદાર કડાકો, નિફ્ટી પણ તૂટ્યો; રોકાણકારોએ ગુમાવ્યા લાખો કરોડ, વાંચો લેટેસ્ટ અપડેટ
Exit mobile version