Site icon News Continuous Bureau | Mumbai

 ગુજરાતના શાસકોને છેક 62 વર્ષે ગુજરાતી ભાષાનું મહત્વ સમજાયું, હવે આઠ મહાનગરોમાં આ સ્થળોએ ફરજિયાત ગુજરાતીમાં હશે બોર્ડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર 

અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે એક ખાસ પરિપત્ર  બહાર પાડયો છે. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ-વિભાગો સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં બોર્ડ અને માહિતી રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કે આ નિર્ણય રાજ્યના 8 મહાનગરોમાં અમલી બનશે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પરીપત્રમાં સ્પષ્ટપણે જણાવાયુ છે કે, રાજ્યના આ આઠ શહેરોના સાર્વજનિક સ્થળોએ જાહેરાત, સૂચના, દિશા-નિર્દેશ અને માહિતીના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આ સિવાય સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેવા કે રેસ્ટોરાં, સિનેમા હોલ, શાળા, કૉલેજ, સુપર માર્કેટ, મોલ્સ, હોસ્પિટલ, કૉફી શૉપ, પુસ્તકાલયમાં સૂચના અને માહિતીના બૉર્ડ હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લગાવવાના રહેશે. એટલે કે જાહેર સ્થળોએ ક્યાંય પણ લગાવેલા બોર્ડ પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.

આ ઉપરાંત ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના આપવામાં આવી છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે આગામી 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ છે. એ પહેલા લેવાયેલો આ નિર્ણય ગુજરાતી ભાષાનુ ગૌરવ જાળવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે.

Maharashtra Road Accident| રાયગઢમાં મોડી રાત્રે સ્કોર્પિયો ખીણમાં પડી, ૮ ના કમકમાટીભર્યા મોત, બચાવ કામગીરી શરૂ
Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Exit mobile version