Site icon News Continuous Bureau | Mumbai

Gyanvapi Case: આખરે 30 વર્ષ બાદ મળ્યો ન્યાય! જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની મોટી જીત, જ્ઞાનવાપી પરિસરના વ્યાસ ભોંયરામાં હિન્દુઓ કરી શકશે પૂજા…

Gyanvapi Case: ઉત્તર પ્રદેશની વારાણસી કોર્ટે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર હિન્દુ પક્ષને આપ્યો છે. હિન્દુ પક્ષ તરફથી વ્યાસજી ભોંયરામાં નિયમિત પૂજા કરવાનો અધિકાર માંગવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે સુનાવણી પહેલાં જ પૂર્ણ કરી લીધી હતી. વારાણસી જિલ્લા અદાલતે આજે પોતાનો ચુકાદો જાહેર કર્યો.

Gyanvapi Case Hindus can do puja in southern cellar of Gyanvapi mosque, rules court

Gyanvapi Case Hindus can do puja in southern cellar of Gyanvapi mosque, rules court

News Continuous Bureau | Mumbai

Gyanvapi Case: વારાણસી જિલ્લા કોર્ટે ( Court ) હિન્દુ પક્ષ ના તરફેણમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદ ( Mosque ) ની નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે નવેમ્બર 1993 સુધી અહીં પૂજા થતી હતી.

Join Our WhatsApp Channel

આપને જણાવી દઈએ કે, વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ તેહખાનામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈ કાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય આવ્યો છે.

મુસ્લિમ પક્ષે શું કહ્યું?

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિના વકીલ અખલાક અહેમદે કહ્યું કે આ નિર્ણય ખોટો છે. અગાઉના આદેશોને નજરઅંદાજ કરીને આ આદેશ આપવામાં આવ્યો છે. તેની સામે અમે હાઈકોર્ટમાં જઈશું.

હિન્દુ પક્ષના વકીલે આ વાત કહી

દરમિયાન જ્ઞાનવાપી કેસ ( Gyanvapi case ) માં હિંદુ પક્ષનું ( Hindu Party ) પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું- સાત દિવસમાં પૂજા શરૂ થશે. દરેકને પૂજા ( Worship ) કરવાનો અધિકાર હશે. આ મામલામાં હિંદુ પક્ષનો દાવો છે કે નવેમ્બર 1993 પહેલા તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનું બંધ કરી દીધું હતું. જેને ફરી શરૂ કરવાનો અધિકાર મળવો જોઈએ.તે જ સમયે, મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એક્ટને ટાંકીને અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Asian Cricket Council : જય શાહ ત્રીજી વખત બન્યા ACCના અધ્યક્ષ, કાર્યકાળ આટલા વર્ષ માટે લંબાવાયો

ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ, જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશ પર વ્યાસ જીના ભોંયરામાં કબજો મેળવ્યો હતો. ASI સર્વે દરમિયાન ભોંયરામાં સફાઈ કરવામાં આવી હતી. હવે જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું છે કે પૂજા વિશ્વનાથ મંદિરના પૂજારીઓ દ્વારા કરાવવામાં આવે. બેરીકેટ્સ હટાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધું 7 દિવસની અંદર થવું જોઈએ.

Social Media Crime Maharashtra। સોશિયલ મીડિયાની મૈત્રી ભારે પડી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સરકારી અધિકારીએ આચર્યું દુષ્કર્મ, પ્રાઈવેટ ચેટ્સ વાયરલ કરવાની આપી ધમકી
MHADA Mumbai Lottery 2026| મ્હાડાનો મોટો નિર્ણય મુંબઈમાં ઘરની કિંમતોમાં લાખોનો કાપ, સામાન્ય માણસનું ઘરનું સપનું હવે થશે સાકાર
May Bank Holidays। મે મહિનામાં બેંકિંગ કામકાજ પતાવતા પહેલા વાંચી લેજો આ લિસ્ટ ૧૨ દિવસ બેંકો રહેશે બંધ
Commercial LPG Price Hike|ગેસના ભાવમાં ભડકો કોમર્શિયલ સિલિન્ડર સીધો ૯૯૩ મોંઘો થયો, નાના સિલિન્ડરના ભાવ પણ આસમાને
Exit mobile version