Site icon News Continuous Bureau | Mumbai

મેટ્રો-3ના કારશેડને મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારને હાઈકોર્ટનું સૂચન; કહ્યું : પરસ્પર ચર્ચાથી લાવો ઉકેલ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-૩નો ૨૩,૦૦૦ હજાર કરોડનો પ્રોજેક્ટ રખડી ગયો છે, એથી મુંબઈગરાને મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે આ મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનું સૂચવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં થવાની છે. આરેમાં કારશેડ બાંધવા માટે અનેક વૃક્ષો રાતોરાત કપાયાં હતાં અને એ મામલે ઉગ્ર વિવાદ એ સમયે સર્જાયો હતો.

વર્ષ ૨૦૧૯માં મહાવિકાસ આઘાડીની સરકાર બનતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ કારશેડ કાંજૂરમાર્ગમાં સ્થળાંતરિત કર્યો હતો. જોકેઆ જમીન કેન્દ્ર સરકાર હસ્તક હોવાનું કહી કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર વિરુદ્ધ હાઈ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે આ પ્રકલ્પ હવે રખડી પડ્યો છે. આ જમીન સોલ્ટ પેન કમિશનરના અખત્યારમાં હોવાનું કેન્દ્રે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું.

મ્યુઝિક કમ્પોઝર અનુ મલિકે ગુમાવ્યું નજીકનુ પરિવારજન, છેલ્લા શ્વાસ સુધી હતા સાથે; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે જ્યારે આ બે પક્ષો વચ્ચે જમીનની માલિકીનો વિવાદ ચાલતો હતો,એવામાં મહેશ ગોરડિયાએ આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો હતો. આ મામલે બાદમાં કાંજૂરમાર્ગમાં કારશેડ બાંધવા પર ૧૬ ડિસેમ્બરે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version