Site icon News Continuous Bureau

Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત

રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને VSR કંપની પર લગાવ્યા ગંભીર આરોપ; પોલીસ સાથે ઘર્ષણ બાદ બારામતીમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પવાર.

Rohit Pawar Ajit Pawar Case Update મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ

Rohit Pawar Ajit Pawar Case Update મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ

News Continuous Bureau | Mumbai
Rohit Pawar Ajit Pawar Case Update મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજીત પવારના વિમાન અકસ્માત પાછળ કાવતરું હોવાનો આક્ષેપ કરનારા ધારાસભ્ય રોહિત પવાર અત્યારે આક્રમક મૂડમાં છે. તેઓ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે FIR સ્વીકારવાનો ઇનકાર કરતા રોહિત પવાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ હંગામા બાદ તુરંત જ રોહિત પવારને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માંથી ફોન ગયો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જોકે, આ ફોન અકસ્માતની તપાસ માટે નહીં, પરંતુ અજીત પવારના સ્મારક અંગે ચર્ચા કરવા માટે હોવાનું કહેવાય છે. રોહિત પવારે બારામતી અને મુંબઈમાં અજીત પવારનું સ્મારક બનાવવાની માંગ કરી હતી, જેના બજેટ અંગે ચર્ચા કરવા સરકારે તેમને સંપર્ક કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી અને ખાનગી કંપની પર નિશાન

રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને VSR કંપની પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે વિમાન દુર્ઘટના પાછળ અનેક રહસ્યો છુપાયેલા છે અને તેની તટસ્થ તપાસ થવી જરૂરી છે. મુંબઈ પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા રોહિત પવારે સરકાર પર પોલીસનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે.

Join Our WhatsApp Community

બારામતી પોલીસ સ્ટેશનમાં સમર્થકોની ભીડ

મુંબઈમાં ફરિયાદ નોંધવામાં ન આવતા આજે રોહિત પવાર પોતાના પિતા રાજેન્દ્ર પવાર અને યુગેન્દ્ર પવાર સાથે બારામતી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચશે. ત્યાં તેઓ DGCA વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે મક્કમ છે. અત્યારે બારામતી પોલીસ સ્ટેશનની બહાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકરોની મોટી ભીડ જામી છે અને સ્થિતિ તણાવપૂર્ણ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ

અજીત પવાર સ્મારક પર રાજકારણ

એક તરફ રોહિત પવાર અજીત પવારના મોતના કેસમાં તપાસની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર તેમને સ્મારકના બહાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હોય તેવું ચિત્ર ઉભું થયું છે. બજેટમાં સ્મારક માટે જોગવાઈ કરવા અંગે CMO માંથી થયેલા ફોન પર રોહિત પવાર શું પ્રતિક્રિયા આપે છે, તેના પર મહારાષ્ટ્રના રાજકારણીઓની નજર ટકેલી છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version