Site icon News Continuous Bureau | Mumbai

Uddhav: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: 20 વર્ષનો વનવાસ ખતમ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર, સંયુક્ત ઇન્ટરવ્યુમાં ફડણવીસને લીધા આડેહાથ

"ભ્રષ્ટાચાર વિશે ફડણવીસે બોલવું જ જોઈએ નહીં" - રાજ ઠાકરેનો પહેલો ઘા; સંજય રાઉત અને મહેશ માંજરેકરે લીધેલી ‘ઠાકરે બંધુઓ’ની ઐતિહાસિક મુલાકાતનો ટીઝર રિલીઝ.

Uddhav મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ 20 વર્ષ

Uddhav મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ 20 વર્ષ

News Continuous Bureau | Mumbai

Uddhav  મહારાષ્ટ્રના રાજકારણમાં જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે દ્રશ્ય આખરે સામે આવ્યું છે. લગભગ ૨૦ વર્ષના અણબનાવ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને ભાઈઓએ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ યુતિ બાદ બંનેનો પહેલો સંયુક્ત ઇન્ટરવ્યુ ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે, જેનો ટીઝર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Join Our WhatsApp Channel

“દુર્ભાગ્યે અત્યારના શાસકો મુંબઈગરા નથી” – ઉદ્ધવ ઠાકરે

સાંસદ સંજય રાઉત અને દિગ્દર્શક મહેશ માંજરેકરે લીધેલી આ મુલાકાતમાં ઠાકરે બંધુઓ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, “દુર્ભાગ્યે આજે જે લોકો સત્તા પર બેઠા છે તે મુંબઈગરા નથી.” જ્યારે રાજ ઠાકરેએ પણ સૂર પુરાવતા કહ્યું કે, મુંબઈગરાઓને શું જોઈએ છે તે સમજવા માટે અહીં જન્મ લેવો પડે છે. બંને નેતાઓએ મુંબઈના મુદ્દે પ્રાદેશિક ગૌરવનો કાર્ડ ખેલ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે.

 

ભ્રષ્ટાચારના મુદ્દે દેવેન્દ્ર ફડણવીસ પર રાજ ઠાકરેનો હુમલો

ટીઝરમાં રાજ ઠાકરેની તે જૂની આક્રમક શૈલી ફરી એકવાર જોવા મળી છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે, “ભ્રષ્ટાચાર વિશે તો ફડણવીસે બોલવું જ જોઈએ નહીં.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપ અને અજિત પવાર જૂથ વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું આ નિવેદન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: વેનેઝુએલા હવે અમેરિકાને શરણે: ટ્રમ્પની એક જાહેરાતે ચીન-રશિયાના સમીકરણો બગાડ્યા, તેલના ભંડાર પર થશે કબજો.

BMC ચૂંટણીમાં મરાઠી મતોનું નવું સમીકરણ

ઠાકરે બંધુઓ એકસાથે આવવાથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિ (ભાજપ, શિંદે અને અજિત પવાર) સામે મોટું આહવાન ઊભું થયું છે. ખાસ કરીને મરાઠી બહુલ વિસ્તારોમાં જ્યાં મનસે અને શિવસેના (UBT) ની તાકાત છે, ત્યાં મતોનું વિભાજન અટકશે અને તેનો સીધો ફાયદો ઠાકરે જૂથને મળી શકે છે. આ સંયુક્ત મુલાકાત બાદ મુંબઈના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવવાની શક્યતા છે.

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version