Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત. ગૃહમંત્રીના રાજીનામાની અટકળો તેજ. શરદ પવાર, અજિત પવાર અને ગૃહ મંત્રી વચ્ચે બંધબારણે બેઠક. 

બોમ્બે હાઈ કોર્ટ તરફથી ગૃહ મંત્રી સંદર્ભે સીબીઆઈને તપાસ કરવાની મંજૂરી મળતાંની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પછી શરદ પવાર, અજિત પવાર અને ગૃહમંત્રી અને દેશમાં વચ્ચે નેપિયન સી રોડ ખાતે પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પર બંધબારણે બેઠક થઈ.

એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ગૃહ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. જો એવું નહીં કરવામાં આવે અને સીબીઆઈ પાક્કા પુરાવા ઓ સામે લઈને આવશે તો ઠાકરે સરકાર ઘણી મોટી મુસીબતમાં મુકાશે.

Join Our WhatsApp Channel


 

બીજી તરફ વિપક્ષ પોતાની વ્યૂહરચના ઘડી કાઢી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે આજે પત્રકાર પરિષદને સંબોધિત કરીને મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા હતા તેમ જ ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી હતી.

આમ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. કોઈપણ નેતા અત્યારે બોલવા માટે તૈયાર નથી. આથી લાગી રહ્યું છે કે લોકડાઉન ના સમયગાળામાં ઉદ્ધવ ઠાકરે એ કોઈ મોટું પગલું ભરવું પડશે.

 

Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Ambarnath Police MD Drug Raid ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ અંબરનાથમાં 33 ગ્રામ MD ડ્રગ્સ અને લાખોની રોકડ સાથે 4 ઝડપાયા
Ranchi Student Protest Suspended રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ૨ મહિના માટે સ્થગિત, સરકારને આપવામાં આવ્યું આટલા દિવસનું અલ્ટીમેટમ
PSDS Method પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ અને તેના અનેક ફાયદા
Exit mobile version