ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 મે 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે નવા દર્દીઓને કોવિડ કૅર સેન્ટરમાં જવું પડશે, એટલે કે હોમ આઇસોલેશનની સગવડ સમાપ્ત કરી દેવામાં આવી છે.
સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને કારણે અનેક ઠેકાણે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલ્હાપુર, સાંગલી, સતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જિલ્લાઓમાં હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે.