Site icon

થપ્પડ કી ગુંજ : કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બે-શરત ઉપર રાણેને જામીન આપ્યા, જાણો જામીનની શરતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાણેને સ્વાસ્થ્યના કારણોસર જામીન આપવામાં આવ્યા છે.  

સાથે જ કોર્ટે રાણેને આદેશ આપ્યો છે કે તેમણે આ કેસમાં તપાસ માટે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રત્નાગિરી પોલીસ સ્ટેશનમાં હાજર થવું.

રત્નાગિરી કોર્ટે ગઈ કાલે આગોતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ મહાડની પોલીસે રાણેની ધરપકડ કરી હતી અને એમને મહાડના મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યા હતા. ત્યારબાદ એમને અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે રાણેના વકીલ FIR રદ કરવાની મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરશે 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના નિવેદન સામે આ કાર્યવાહી કરાઈ હતી. 

 

Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Exit mobile version