Site icon

થપ્પડ કી ગુંજ : કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બે-શરત ઉપર રાણેને જામીન આપ્યા, જાણો જામીનની શરતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાણેને સ્વાસ્થ્યના કારણોસર જામીન આપવામાં આવ્યા છે.  

સાથે જ કોર્ટે રાણેને આદેશ આપ્યો છે કે તેમણે આ કેસમાં તપાસ માટે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રત્નાગિરી પોલીસ સ્ટેશનમાં હાજર થવું.

રત્નાગિરી કોર્ટે ગઈ કાલે આગોતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ મહાડની પોલીસે રાણેની ધરપકડ કરી હતી અને એમને મહાડના મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યા હતા. ત્યારબાદ એમને અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે રાણેના વકીલ FIR રદ કરવાની મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરશે 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના નિવેદન સામે આ કાર્યવાહી કરાઈ હતી. 

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version