News Continuous Bureau | Mumbai
Weather Prediction Conflict ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદની આગાહીને લઈને બે મોટા વિચારધારાઓ આમનેસામને આવી ગઈ છે. એક તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, જેઓ પરંપરાગત અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત આગાહી કરે છે, તો બીજી તરફ ગુજરાત વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યા છે, જેઓ વૈજ્ઞાનિક અભિગમની હિમાયત કરે છે.
Weather Prediction Conflict – શું છે અંબાલાલ પટેલની આગાહી?
અંબાલાલ પટેલે નક્ષત્રો અને પરંપરાગત પદ્ધતિઓના આધારે રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરી છે. તેમની આગાહીઓ ખેડૂતોમાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે, કારણ કે તેઓ લાંબા ગાળાની આગાહીઓ કરવા માટે જાણીતા છે. જોકે, તેમની આ આગાહીઓ પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા કે સેટેલાઇટ ઇમેજરી નથી હોતી તેવું આક્ષેપ વિરોધીઓ કરી રહ્યા છે.
Weather Prediction Conflict – વિજ્ઞાન જાથાનો આકરો વિરોધ
બીજી તરફ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓને ‘અંધશ્રદ્ધા’ અને ‘પાયાવિહોણી’ ગણાવીને આકરા પ્રહાર કર્યા છે. પંડ્યાનું કહેવું છે કે, વરસાદ જેવી પ્રાકૃતિક ઘટનાઓ માત્ર વૈજ્ઞાનિક સાધનો, હવામાન વિભાગના મોડેલ્સ અને ડેટાના આધારે જ કહી શકાય. તેમણે અંબાલાલ પટેલ પર આરોપ લગાવ્યો છે કે આ પ્રકારની આગાહીઓ કરીને તેઓ લોકોમાં માત્ર ભ્રમ ફેલાવે છે અને વાસ્તવિકતાથી દૂર રાખે છે.
Weather Prediction Conflict – જનતામાં દ્વિધાભરી સ્થિતિ
આ બંને પક્ષોના મતભેદોને કારણે સોશિયલ મીડિયા અને સામાન્ય જનતામાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો જેમને ચોમાસાના આગમનની ચિંતા હોય છે, તેઓ કઈ આગાહી પર વિશ્વાસ કરવો તે અંગે મુંઝવણમાં મુકાય છે. નિષ્ણાતો માને છે કે, હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર આગાહીને જ હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે તે વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત છે. આગામી સમયમાં વરસાદની સ્થિતિ સ્પષ્ટ કરશે કે કોની આગાહી વધુ સચોટ સાબિત થાય છે.
👉 આ સમાચાર વાચો:
Maharashtra Politics Crisis મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો શિવસેના બાદ હવે NCP (શરદ પવાર જૂથ) માં પણ બળવાની આશંકા, ૫ સાંસદો સંપર્કમાં હોવાનો દાવો
