Site icon News Continuous Bureau | Mumbai

હું ઈંદિરા ગાંધીની પૌત્રી છું, કોઈથી ડરતી નથી: પ્રિયંકા ગાંધીએ યુપી સરકારને ટોણો માર્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

26 જુન 2020

શુક્રવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે, "એક જાહેર સેવક તરીકે, મારી ફરજ ઉત્તર પ્રદેશની જનતા પ્રત્યે છે. અને આ ફરજ છે તેમના સમક્ષ સત્ય રજૂ કરવું નહીં કે યોગી સરકારનો પ્રચાર પ્રસાર કરવો. આથી યુપી સરકાર તેના વિવિધ વિભાગો દ્વારા મને ધમકી આપીને પોતાનો સમય ન બગાડે છે, સાથે જ કહ્યું, "યોગી સરકાર ગમે તે પગલાં લઈ શકે છે, હું સત્યની સાથે જ રહીશ. હું સ્વ.ઈન્દિરા ગાંધીની પૌત્રી છું, કેટલાક વિપક્ષી નેતાઓની જેમ ભાજપની અઘોષિત પ્રવક્તા નથી."

કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈનચાર્જ પ્રિયંકાએ યોગી આદિત્યનાથ સરકાર પર કોરોના જેવા રોગચાળાને લઈ કાર્ય કરવાની બદલે વધુ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અને કોરોનાને લઈ કેટલાક ખોટા આંકડા જાહેર કર્યા હતા તે બાદ ઉ.પ્ર. સરકાર દ્વારા તેમને નોટિસ ફટકારી હતી.. જે બાદ આજે પ્રિયંકાએ ઉપરોક્ત ટ્વીટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે અઠવાડિયા દરમ્યાન પ્રિયંકા ગાંધીએ આગ્રામાં  કોવીડ -19 ના ઉચ્ચ મૃત્યુ દર અને રોગચાળાને નિયંત્રિત ના કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ ઉત્તર પ્રદેશ સરકાર પર વારંવાર હુમલા કર્યા હતાં….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Exit mobile version