Site icon

ઉદ્ધવ ઠાકરેના ચહિતા એવા ભૂતપૂર્વ BMC કમિશનર આવ્યા સપાટામાં ફ્લેટ બેનામી હોવાની શંકા; તપાસ શરૂ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીપદેથી રિટાયર્ડ થયેલા અને મહારેરાના અધ્યક્ષ અજોય મહેતાએ ખરીદેલા ઘરને કારણે તેઓ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. મંત્રાલય પાસે સાડાપાંચ કરોડ રૂપિયામાં ખરીદી કરેલા આ ઘરના આર્થિક વ્યવહાર પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે સવાલ ઉપસ્થિત કર્યા છે. ઘર ખરીદીમાં બેનામી વ્યવહાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અજોય મહેતાએ મંત્રાલય પાસે 1076 ચોરસ ફૂટનું ઘર 5 કરોડ 33 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. અનામિત્રા પ્રૉપર્ટી નામની કંપનીના માધ્યમથી ઘર ખરીદ્યું છે. આ કંપનીના બે પાર્ટનર છે, જેમાં તેમના ઘરનું ઍડ્રેસ મુંબઈની એક ચાલીનું બતાવવામાં આવ્યું છે.  આ કંપનીએ ચાર કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું  હોવાનું બતાવ્યું છે.

મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં હજી પણ કોરોનાનું ગંભીર સંકટ યથાવત્; કેન્દ્રીય ટીમે આપ્યું સંપૂર્ણ લૉકડાઉનનું સૂચન

કંપનીના બે પાર્ટનર અલ્પ આવક ધરાવતા લોકોમાં આવે છે. તેઓ આટલું મોંઘું ઘર ખરીદી કરી શકે એમ ન હોવાનું ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. એટલે જ તેમને આ ઘરના વ્યવહારમાં બેનામી વ્યવહાર થયો હોવાની શંકા થઈ છે. 7 જુલાઈના ઇન્કમ ટૅક્સે અનામિત્રા પ્રૉપર્ટીને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.  જોકે અજોય મહેતાએ આ તમામ આરોપ ફગાવી દીધા હતા.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version