Site icon

ભગતસિંહ કોશિયારી એ ગુજરાતીઓની ખુશામત કરી એમાં કોંગ્રેસના પેટમાં ચૂંક્યું- આપ્યું આવું નિવેદન  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh koshyari)ના ભાષણ બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. રાજ્યપાલ કોશ્યારી મુંબઈ(Mumbai)ના અંધેરી પશ્ચિમ વિસ્તાર(Andheri west)માં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતી(Gujarati)ઓ અને રાજસ્થાની(Rajasthani)ઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની(Economic Capital of Country) તરીકે નહીં ઓળખાવી શકાય.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મેટ્રો 4ના કામને લીધે મુંબઈના અનેક રસ્તા વાહનવ્યહારમાં મોટા ફેરબદલ કરાયા છે-જાણો ફેરબદલ અહીં 

કોંગ્રેસ(Congress) નેતા સચિન સાવંતે(Sachin Sawant) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાન સાધ્યું છે. તેમણે ભાષણની નિંદા કરતા કહ્યું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા મરાઠી(Marathi) લોકોનું અપમાન ભયાનક છે. તેમણે તરત જ માફી માંગવી જોઈએ.

 

દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે(Jayram Ramesh) પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેમનું નામ ‘કોશ્યારી’ છે. પરંતુ ગવર્નર તરીકે તેઓ જે બોલે છે અને કરે છે તેમાં થોડી પણ ‘હોશિયારી’ નથી. તે ખુરશી પર એટલા માટે જ બેઠા છે કારણ કે તેઓ ‘હમ દો’ની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે.

GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Exit mobile version