Site icon News Continuous Bureau | Mumbai

ભગતસિંહ કોશિયારી એ ગુજરાતીઓની ખુશામત કરી એમાં કોંગ્રેસના પેટમાં ચૂંક્યું- આપ્યું આવું નિવેદન  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh koshyari)ના ભાષણ બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. રાજ્યપાલ કોશ્યારી મુંબઈ(Mumbai)ના અંધેરી પશ્ચિમ વિસ્તાર(Andheri west)માં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતી(Gujarati)ઓ અને રાજસ્થાની(Rajasthani)ઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની(Economic Capital of Country) તરીકે નહીં ઓળખાવી શકાય.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મેટ્રો 4ના કામને લીધે મુંબઈના અનેક રસ્તા વાહનવ્યહારમાં મોટા ફેરબદલ કરાયા છે-જાણો ફેરબદલ અહીં 

કોંગ્રેસ(Congress) નેતા સચિન સાવંતે(Sachin Sawant) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાન સાધ્યું છે. તેમણે ભાષણની નિંદા કરતા કહ્યું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા મરાઠી(Marathi) લોકોનું અપમાન ભયાનક છે. તેમણે તરત જ માફી માંગવી જોઈએ.

 

દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે(Jayram Ramesh) પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેમનું નામ ‘કોશ્યારી’ છે. પરંતુ ગવર્નર તરીકે તેઓ જે બોલે છે અને કરે છે તેમાં થોડી પણ ‘હોશિયારી’ નથી. તે ખુરશી પર એટલા માટે જ બેઠા છે કારણ કે તેઓ ‘હમ દો’ની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે.

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version