Site icon News Continuous Bureau | Mumbai

Illegal Mining: અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ જોખમમાં: રાજસ્થાનના માફિયાઓ ડાયનામાઈટથી પહાડો ઉડાવી રહ્યા છે; તાજમહેલ પર પણ પ્રદૂષણનું સંકટ.

આગ્રા સરહદે રાત-દિવસ ગેરકાયદેસર ખનન; સરહદના વિવાદનો ફાયદો ઉઠાવી માફિયાઓ બેફામ, વિસ્ફોટોથી સ્થાનિક મકાનોમાં પડી તિરાડો.

Illegal Mining અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ જોખમમાં

Illegal Mining અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ જોખમમાં

News Continuous Bureau | Mumbai

Illegal Mining દેશની સૌથી જૂની અરવલ્લી પર્વતમાળાને રાજસ્થાનના ખનન માફિયાઓ દ્વારા છિન્ન-ભિન્ન કરવામાં આવી રહી છે. આગ્રાની ખેરાગઢ તહેસીલના કુલ્હાડા ગામ પાસે રાજસ્થાનના કોન્ટ્રાક્ટરો તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) ના નિયમોનું ઉલ્લંઘન કરીને ડાયનામાઈટથી બ્લાસ્ટ કરી રહ્યા છે. આ ખનનથી ઉડતી ધૂળ માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ ઐતિહાસિક સ્મારક તાજમહેલને પણ નુકસાન પહોંચાડી શકે છે. સ્થાનિક રહીશો વિસ્ફોટોના અવાજથી રાત્રે સૂઈ શકતા નથી અને અનેક ઘરોમાં તિરાડો પણ પડી ગઈ છે.

Join Our WhatsApp Channel

દિવસ-રાતનો ‘જુગાડ’ અને ખનન

ગેરકાયદેસર ખનન કરનારા માફિયાઓ સીમાંકન સ્પષ્ટ ન હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, દિવસે રાજસ્થાનની સીમામાં અને રાત્રે ઉત્તર પ્રદેશની સીમામાં ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે. પહાડોની વચ્ચે ડામરના રોડ બનાવી દેવાયા છે અને ક્રશરો લગાવીને પથ્થરોને તોડવાનું કામ સતત ચાલુ રહે છે. ખનનને કારણે પહાડોની જગ્યાએ હવે ૬૦ થી ૭૦ ફૂટ ઊંડા ખાડાઓ જોવા મળી રહ્યા છે.

ઐતિહાસિક મંદિર પણ તોડી પાડ્યું

ખનન માફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે ૮ વર્ષ પહેલા તેમણે વિસ્ફોટ કરીને પહાડ પર આવેલું એક પ્રાચીન મંદિર પણ તોડી પાડ્યું હતું. ગ્રામજનોના ભારે વિરોધ અને ધરણા બાદ માફિયાઓએ નવું મંદિર બનાવી આપ્યું, જેને અત્યારે અધિકારીઓ બંને રાજ્યોની સરહદ ગણાવે છે. જોકે, આ સરહદ પણ માફિયાઓ પોતાની સુવિધા મુજબ આગળ-પાછળ કરતા રહે છે.

આ સમાચાર પણ વાંચો : Trump Zelensky Meeting: યુક્રેન યુદ્ધ રોકવા ટ્રમ્પ એક્શન મોડમાં: ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ કહ્યું- ‘શાંતિ વાટાઘાટો અંતિમ તબક્કામાં’; સુરક્ષા ગેરંટી પર ૧૦૦% સહમતી.

પર્યાવરણ અને તાજમહેલ પર જોખમ

પર્યાવરણ કાર્યકર્તાઓના મતે, પથ્થરનું ખનન ‘રેડ કેટેગરી’ માં આવે છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશો છતાં અધિકારીઓની મિલીભગત વગર આટલા મોટા પાયે ખનન શક્ય નથી. ખનનથી ઉડતી ધૂળ હવાઈ ગુણવત્તા (Air Quality) બગાડી રહી છે, જે તાજમહેલના આરસપહાણ માટે અત્યંત હાનિકારક છે. છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ તંત્ર મૌન સેવીને બેઠું છે.

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version