Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લામાં આદમખોર વાઘનો આતંક : અત્યાર સુધી આટલા લોકોને ફાડી નાખ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે હાહાકાર મચાવ્યો છે. આ વાઘને કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. અત્યાર સુધી આ વાઘે ૧૫ લોકોને ફાડી ખાધા છે. વાઘના આતંકને કારણે સ્થાનિક પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે. વાઘ પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે રોજના ૪૦ કિલોમીટર પગપાળા ચાલીને વાઘને શોધી રહી છે. ભારે પ્રયાસ બાદ પણ વાઘ હાથમાં આવતો નથી. વાઘનું પગેરું મેળવવા માટે જંગલમાં ૧૫૦ કૅમેરા પણ બેસાડવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોની પણ મદદ લેવામાં આવી રહી છે.

‘નો વેકસીન નો એન્ટ્રી’, ગુજરાતના આ શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત; જાણો વિગતે

એક અંદાજ મુજબ ગઢચિરોલીના જંગલમાં ૩૨ વાઘ છે. એથી લોહી ચાખી ગયેલા વાઘને પકડવો મુશ્કેલ થઈ ગયું છે. વાઘને શોધવા ડ્રૉનની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે સતત વરસાદને કારણે મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક પ્રશાસને ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓને શક્ય હોય તો ૧૫ દિવસ બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Uddhav Thackeray। મહારાષ્ટ્ર વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી
Pune Gas Leak। પુણેમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક 24 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, લોકોએ ઘરની બહાર વિતાવી રાત
Exit mobile version