Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યમાં આટલા ટકા મસ્જિદો તેમ જ મંદિરો પર લાઉડ સ્પીકર છે. કેટલા છે ગેરકાયદે? મીડિયામાં આવ્યો અહેવાલ.જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રમાં(Maharashtra) ધાર્મિક સ્થળો(Religious places) પર રહેલા લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker Row) દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે રાજ્યમાં 2,940 પ્રાર્થના સ્થળ પર લાઉડ સ્પીકર હોય તેમાંથી  60 ટકા મસ્જિદ(masjid) પર તો  35 ટકા મંદિર(Temple) પર લાઉડસ્પીકર હોવાની ચોંકાવનારી માહિતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન(RTI) તેમ જ પોલીસે દાખલ કરેલ એફિડેવિટમાં બહાર આવી છે.

Join Our WhatsApp Channel

બોમ્બે હાઈ કોર્ટમાં(Bombay high court) દાખલ કરવામાં આવેલી એક પીટીશનમાં મુજબ રાજ્યમાં 2,940 પ્રાર્થના સ્થળ પર  લાઉડસ્પીકર છે. તેમાંથી 60 ટકા મસ્જિદ, 35 ટકા મંદિર, 2.85 ટકા ચર્ચ પર, 1.32 ટકા બુદ્ધ વિહાર તો 0.74 ટકા લાઉડસ્પીકર ગુરુદ્વારા પર હોવાનું બહાર આવ્યું છે.

ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) નિયંત્રણ અને નિયમન આ કાયદો 2000માં મંજૂર થયો છે. પરંતુ પ્રાર્થનાસ્થળ પરના લાઉડસ્પીકર ના નિયમો અમલમાં લાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે. મુંબઈને બાદ કરતા રાજ્યના અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં લાઉડસ્પીકરને લઈને ચોક્કસ આંકડા વાળી અને નોંધ નો અભાવ હોવાનું જણાઈ આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતના કિનારેના દરીયામાં એટીએસની સ્ટ્રાઈક, રૂ.300 કરોડનું ડ્રગ્સ અને આટલા લોકો પકડાયા.

રાજ્યમાં હિંગોલી માં પોલીસની મંજૂરીને લઈને માત્ર બે  જ લાઉડ સ્પીકર લગાડયા છે, તેની સામે 302 ગેરકાયદે હોઈ પોલીસે તેની સામે પગલાં લીધા છે. ઉસ્મનાબાદમાં 20 મંજૂરી સાથે લાઉડસ્પીકર બેસાડ્યા છે,  તેની સામે 70 લાઉડસ્પીકર ગેરકાયદે છે. વર્ધામાં 60 લાઉડસ્પીકર મંજૂરી સામે 60 ગેરકાયદે છે. અમરાવતી શહેરમાં 354 કાયદેસરના લાઉડસ્પીકર સામે 134 ગેરકાયદે હોઈ તેની સામે પોલીસે કાર્યવાહી કરી છે. અમરાવતી ગ્રામીણમાં 163 કાયદેસરના લાઉડસ્પીકર સામે 253 ગેરકાયદે છે. ભંડારામાં 36 કાયદેસરના લાઉડસ્પીકર સામે  26 ગેરકાયદે સ્પીકર છે. નંદુરબારમાં(nandurbar) કાયદેસરના 196 લાઉડસ્પીકર છે. ગોંદિયા માં નવ ગેરકાયદેસર અને ભંડારામાં 29 ગેરકાયદેસર લાઉડસ્પીકર છે, તેની સામે પોલીસે પગલાં લીધા છે.

Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Ladki Bahin Yojana Deletions મહારાષ્ટ્રની ‘લાડકી બહેન’ યોજનામાંથી 92 લાખ મહિલાઓના નામ હટાવાયા; લાભાર્થીઓની સંખ્યામાં આશરે 38%નો ઘટાડો
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Exit mobile version