Site icon

ઈન્દોરમાં મંદિર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ

12 dead as roof of well collapses at city temple

મોટી દુર્ઘટના.. રામનવમી પર મંદિરમાં છત ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત, 20ને બચાવાયા..

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે કુવાની છત તૂટી પડી. હાલમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતો જોવા મળી રહ્યો છે. કુવામાં પડી જવાથી અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Join Our WhatsApp Community

ઈન્દોરના કલેક્ટર ડૉ. ઇલીયારાજા ટીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2ને રજા આપવામાં આવી છે. 35 લોકોના મોત થયા છે. હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો શોધ અને બચાવ કામગીરી કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની હવા અતિ ઝેરી, શહેરમાં 11 હજાર જગ્યાએ ચાલી રહ્યાં છે બાંધકામ, સૌથી વધુ આ વોર્ડમાં..

દરમિયાન શુક્રવારે સવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અકસ્માતમાં ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે તેમણે તમામ ઘાયલોની પૂછપરછ કરી હતી.

બરાબર શું થયું?
અધિકારીઓના જણાવ્યા અનુસાર રામ નવમીના અવસર પર ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં હવનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દરેક લોકો પૂજા અને આરતી કરી રહ્યા હતા ત્યારે મંદિરમાં આવેલ પ્રાચીન કુવાની છત ધરાશાયી થઈ ગઈ હતી. 40 ફૂટ ઊંડા કૂવામાં ચારથી પાંચ ફૂટ પાણી હતું. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version