Site icon News Continuous Bureau | Mumbai

શું શિવસેનાની આંતરિક લડાઈ ઉદ્ધવ ઠાકરે પ્રેરિત ડ્રામા છે- આ પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સીધો જવાબ

News Continuous Bureau | Mumbai 

સોશિયલ મીડિયા(Social media) અને ટીવી ચેનલો પર એવા પ્રકારની અફવા ફેલાઈ હતી કે શિવસેના(Shivsena) અંતર્ગત જે કોઈ ઘમાસાણ ચાલી રહ્યું છે તેની પાછળ મૂળભૂત રીતે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. તેમજ આ પૂરેપૂરું એક સ્ટેજ ડ્રામા જેવું છે જેની પાછળનો હેતુ શિવસેના અને ભાજપ(BJP) સાથે જવું એ પ્રકારનો છે. જોકે હવે આ બધી અટકળો પર ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ પોતે વિરામ આપ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે

પોતાના કાર્યકર્તાઓ સાથેના નિવેદનમાં તેમણે જણાવ્યું કે તેમણે જો યુતિ તોડવી હોય તો તેઓ સીધી અને સ્પષ્ટ રીતે વાત કરીને યુતિ તોડી શકે છે. આ માટે તેમણે કોઇ પ્રકારનો ડ્રામા(Political drama) કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ(congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) પર દગાખોર હોવાનો સિક્કો લાગેલો છે. પરંતુ હાલ જોઈ શકાય છે કે આ બંને પાર્ટી દગાખોર નથી તેમ જ મારી સાથે મજબૂત રીતે ઉભી છે. જ્યારે કે બીજી તરફ મારી જ પાર્ટીની અંદર રહેલા ગદ્દારો મારી વિરુદ્ધમાં છે.

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version