Site icon News Continuous Bureau | Mumbai

શું શિવસેનાની આંતરિક લડાઈ ઉદ્ધવ ઠાકરે પ્રેરિત ડ્રામા છે- આ પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સીધો જવાબ

News Continuous Bureau | Mumbai 

સોશિયલ મીડિયા(Social media) અને ટીવી ચેનલો પર એવા પ્રકારની અફવા ફેલાઈ હતી કે શિવસેના(Shivsena) અંતર્ગત જે કોઈ ઘમાસાણ ચાલી રહ્યું છે તેની પાછળ મૂળભૂત રીતે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. તેમજ આ પૂરેપૂરું એક સ્ટેજ ડ્રામા જેવું છે જેની પાછળનો હેતુ શિવસેના અને ભાજપ(BJP) સાથે જવું એ પ્રકારનો છે. જોકે હવે આ બધી અટકળો પર ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ પોતે વિરામ આપ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે

પોતાના કાર્યકર્તાઓ સાથેના નિવેદનમાં તેમણે જણાવ્યું કે તેમણે જો યુતિ તોડવી હોય તો તેઓ સીધી અને સ્પષ્ટ રીતે વાત કરીને યુતિ તોડી શકે છે. આ માટે તેમણે કોઇ પ્રકારનો ડ્રામા(Political drama) કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ(congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) પર દગાખોર હોવાનો સિક્કો લાગેલો છે. પરંતુ હાલ જોઈ શકાય છે કે આ બંને પાર્ટી દગાખોર નથી તેમ જ મારી સાથે મજબૂત રીતે ઉભી છે. જ્યારે કે બીજી તરફ મારી જ પાર્ટીની અંદર રહેલા ગદ્દારો મારી વિરુદ્ધમાં છે.

Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Exit mobile version