Site icon

પુણેના ડેરી ગ્રુપની ૪૦૦ કરોડની કરચોરી પકડાઈ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીઝે આપેલી માહિતી મુજબ ગઈ ૨૪મી નવેમ્બરથી આ ડેરી ઉદ્યોગ ગૃહ પર રેડી પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અઢી કરોડની જ્વેલરી સહિત એકંદર ૪૦૦ કરોડની માલ- મત્તા મળી આવી હતી. હજી કેટલાક બેન્ક લોકરો ખોલવાના બાકી છે. સીબીડીટી સત્તાવાળાએ આપેલી માહિતી મુજબ કરચોરી કરવામાં આવી છે તેને લાગતા પુરાવા તેમજ વાંધાજનક દસ્તાવેજાે હસ્તગત કરવામાં આવ્યા છે. જેમાં ખરીદીના બોગસ બિલો, બિનહિસાબી રોકડ રકમ, કેશ લોનના વ્યવહાર વગેરે ગેરરીતિ આચરવામાં આવી છે એ દર્શાવતા પુરાવા હાથ લાગ્યા છે. ઉપરાંત ઢોરના મૃત્યુને લીધે થયેલા નુકસાનના ખોટા દાવા પણ કરવામાં આવ્યા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ડેરી ગુ્રપે ટેક્સમાંથી બાદ મેળવવા માટેના અલગ હિસાબી ચોપડા પણ નહોતા રાખ્યા.આવકવેરા ખાતાની ટીમે પુણેના એક ડેરી ઉદ્યોગ ગુ્રપ પર રેડ પાડીને ૪૦૦ કરોડ રૃપિયાની બિનહિસાબી મતા પકડી પાડી હતી. ડેરી ફાર્મીંગ અને દુગ્ધજન્ય ઉત્પાદન કરતા આ ગ્રુપની છ શહેરોમાં આવેલી ઓફિસો તલાશી લેવામાં આવતા જંગી કરચોરી પકડાઈ હતી.

માત્ર 24 કલાક અને આ દેશ માં ઓમિક્રોનના કેસ ડબલ થઈ ગયા. જાણો વિગત

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version