Site icon News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હીના આ વિસ્તામાં વધુ એક વખત પથ્થરમારો, આરોપીને પકડવા ગયેલી પોલીસ ટિમ પર હુમલો, મહિલાઓએ કર્યો હોબાળો

News Continuous Bureau | Mumbai

રાજધાની દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં હિંસાના બે દિવસ બાદ આજે ફરી બબાલ થઈ છે. દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં થયેલી હિંસાના આરોપીને પકડવા ગયેલી દિલ્હી પોલીસ(Delhi Police) પર પથ્થરમારો(Stoning) કરાયો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch team)ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પથ્થરબાજની અટકાયત કરી લીધી હતી.

Join Our WhatsApp Channel

 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, શનિવારની અથડામણ મામલે પોલીસ એક મહિલાને પૂછપરછ માટે લેવા ગઈ હતી. આ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરીમાં આ વિસ્તારની લગભગ 50 મહિલાઓએ વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે જે મહિલાની અટકાયત કરી છે તે આરોપી સોનુની પત્ની હોવાનું કહેવાય છે, જેણે શનિવારે થયેલી અથડામણ દરમિયાન કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આજે (સોમવારે) મહિલાને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ પોલીસની ટીમ પર અલગ અલગ મકાનોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :બોલીવુડ અભિનેતા આર માધવનના પુત્ર વેદાંત દેશનું નામ કર્યું રોશન, આ રમતમાં સિલ્વર બાદ  જીત્યો ગોલ્ડ મેડલ..

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ(Hanuman Jayanti) સરઘસ પર પથ્થરમારો થયો હતો. પોલીસે આ કેસમાં 23 આરોપીની ધરપકડ કરી છે.  આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ(Delhi Police) કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch Team)ને સોંપવામાં આવી છે. 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version