Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈ શહેરમાં આટલી FIR નોંધાઈ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

મુંબઈમાં ભાજપ દ્વારા આયોજિત જન આશીર્વાદ યાત્રામાં કોવિડ નિયમોનો ભંગ થતા ઠાકરે સરકારે કડક પગલું ભર્યું છે.

ભાજપના કાર્યકરો સામે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

કાર્યકરો સામે શહેરના વિલે પાર્લે, ખેરવાડી, માહિમ, શિવાજી પાર્ક, દાદર, ચેમ્બુર અને ગોવંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. 

જોકે, અત્યાર સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલના સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે નીકળેલી આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.ઉપરાંત કેન્દ્રીય પ્રધાનનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.

 રાતોરાત 1 લાખ કરોડ કમાનાર આ રોકાણકારનો હવે દુનિયાના 100 ધનિક લોકોમાં સમાવેશ.. જાણો  ધનિક લોકોની આ યાદીમાં કોણ કોણ છે શામેલ 

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version