Site icon News Continuous Bureau | Mumbai

નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી Janni Suraksha Yojana ‘જનની સુરક્ષા યોજના’

બી.પી.એલ કાર્ડધારક અને અનુસુચિત જાતિ-જનજાતિના સગર્ભાઓને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦ સહાય મળવાપાત્ર

Jani Suraksha Yojana to reduce neonatal mortality and provide safe motherhood

નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરતી ‘જનની સુરક્ષા યોજના’

News Continuous Bureau | Mumbai 

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત મૃત્યુદર ઘટાડતી અને સુરક્ષિત માતૃત્વ પ્રદાન ( motherhood ) કરતી ‘જનની સુરક્ષા યોજના’ ( Janni Suraksha Yojana ) અમલી છે. જે હેઠળ બી.પી.એલ કાર્ડ ધારક અને અનુસુચિત જાતિ-જનજાતિના મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાનાં છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦ સહાય મળવાપાત્ર છે.

Join Our WhatsApp Channel

યોજનાનો લાભ લેવા માટે સગર્ભાઓએ સ્ત્રી/આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અરજી સમયે બી.પી.એલ કાર્ડ અથવા આવકનો પુરાવો રજુ કરવાનો રહેશે. બી.પી.એલ કાર્ડ ન ધરાવતા અરજીકર્તાઓએ વિસ્તારના તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. યોજનાની સહાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  તા.૨ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત’વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી

 

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version