Site icon

JNU ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની કરી માંગ; લગાવ્યા આ નારા

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવાની વરસી નિમિત્તે જેએનયુમાં વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની માંગ સાથે દેખાવો કર્યા હતા.વિદ્યાર્થીઓએ યોજેલા કાર્યક્રમમાં બેનરો દર્શાવવામાં આવ્યા હતા.જેમાં બાબરી મસ્જિદ ફરી બનાવવામાં આવે તેવુ લખેલુ હતુ અને સાથે સાથે હિન્દુત્વની હિંસા મુર્દાબાદના બેનરો પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમનો વિડિયો સામે આવ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા લાંબી લડાઈ લડવા માટે આહવાન કરતા દેખાઈ રહ્યા છે.જેએનયુના વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ સાકેત મૂન કહેતો સંભળાય છે કે, બાબરી મસ્જીદ ખોટી રીતે તોડી પાડવામાં આવી હતી અને એટલા માટે જ તેને ફરી બનાવવામાં આવે અને ન્યાય કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં ૨૦૧૯માં ચુકાદો આપીને અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.જેના પગલે નવુ રામ મંદિર બની પણ રહ્યુ છે.જાેકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જેએનયૂના વિદ્યાર્થીઓના એક જૂથને માન્ય હોય તેમ લાગતુ નથી.

 

લો બોલો, આ રાજ્યમાં ખોટા રસીકરણ આંકડામાં વડાપ્રધાન, સોનિયા, પ્રિયંકા ચોપરાને વેક્સિન આપી તેવી નોંધણી; જાણો વિગતે 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version