Site icon

JNU ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની કરી માંગ; લગાવ્યા આ નારા

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવાની વરસી નિમિત્તે જેએનયુમાં વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદ ફરી બનાવવાની માંગ સાથે દેખાવો કર્યા હતા.વિદ્યાર્થીઓએ યોજેલા કાર્યક્રમમાં બેનરો દર્શાવવામાં આવ્યા હતા.જેમાં બાબરી મસ્જિદ ફરી બનાવવામાં આવે તેવુ લખેલુ હતુ અને સાથે સાથે હિન્દુત્વની હિંસા મુર્દાબાદના બેનરો પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમનો વિડિયો સામે આવ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા લાંબી લડાઈ લડવા માટે આહવાન કરતા દેખાઈ રહ્યા છે.જેએનયુના વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ સાકેત મૂન કહેતો સંભળાય છે કે, બાબરી મસ્જીદ ખોટી રીતે તોડી પાડવામાં આવી હતી અને એટલા માટે જ તેને ફરી બનાવવામાં આવે અને ન્યાય કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં ૨૦૧૯માં ચુકાદો આપીને અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.જેના પગલે નવુ રામ મંદિર બની પણ રહ્યુ છે.જાેકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જેએનયૂના વિદ્યાર્થીઓના એક જૂથને માન્ય હોય તેમ લાગતુ નથી.

 

લો બોલો, આ રાજ્યમાં ખોટા રસીકરણ આંકડામાં વડાપ્રધાન, સોનિયા, પ્રિયંકા ચોપરાને વેક્સિન આપી તેવી નોંધણી; જાણો વિગતે 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version