Site icon News Continuous Bureau | Mumbai

CETને કારણે આ વખતે પણ જુનિયર કૉલેજ મોડી શરૂ થશે; બાળકોને અભ્યાસમાં નુકસાન થવાની વાલીઓને ભીતિ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓને નવમા ધોરણના ગુણ અને ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે પરિણામ આપવામાં આવ્યું હતું. આ પરિણામ સાથે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સરકારે કૉમન એન્ટરન્સ ટેસ્ટ (CET)નો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે આ પરીક્ષાને કારણે આ વખતે પણ જુનિયર કૉલેજ મોડી શરૂ થશે એ સ્પષ્ટ છે.

હવે વાલીઓને ભીતિ છે કે જો કૉલેજો મોડી શરૂ થશે તો એની અસર બાળકોના ભણતર ઉપર પણ પડી શકે છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ CET ૨૧ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ લેવાશે. CET આપનાર વિદ્યાર્થીઓને પ્રાધાન્ય મળવાનું હોવાથી આ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ જ પ્રવેશપ્રક્રિયા શરૂ થશે એ સ્પષ્ટ છે.એથી એક વાત સ્પષ્ટ છે કે અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે હજી દિલ્હી ખૂબ દૂર છે અને કૉલેજ શરૂ થતાં ન્યુનતમ ત્રણ મહિનાનો સમય લાગશે તેવી શક્યતા છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા! CET રજિસ્ટ્રેશનની વેબસાઇટ પહેલા જ દિવસે બંધ પડી ગઈ; વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જાણો વિગત

વાલીઓનો એક વર્ગ કહે છે આ વિલંબને કારણે કૉલેજો ઉપર પણ પૉર્શન પૂરું કરવાનું ભારણ આવશે અને સરવાળે એની અસર ભણતરની ગુણવત્તા ઉપર પણ થઈ શકે છે. માત્ર ૬-૭ મહિનામાં કૉલેજો આખા વર્ષનો અભ્યાસ કઈ રીતે પૂરો કરશે એ પણ એક મોટો સવાલ વાલીઓ અને વિદ્યાર્થીઓનાં મનમાં છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version