ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારના ધારાસભ્ય ગણપત ગાયકવાડે એક સારો દાખલો પૂરો પાડ્યો છે. તેમના દીકરા ના લગ્ન ચાર મે ના રોજ છે. આ લગ્ન ધામધૂમથી ઉજવવા નું નક્કી કરવામાં આવ્યું હતું જોકે હવે કોરોનાને કારણે લગ્ન સાદાઈથી થશે.
આ લગ્ન પાછળ લાખો રૂપિયા ખર્ચ થવાના હતા. હવે આખા પરિવારે નક્કી કર્યું છે કે લગ્ન પાછળ થનાર પૈસાને બચાવવામાં આવશે. લગ્નમાં માત્ર 25 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આથી કુલ ૧૮ લાખ રૂપિયા નો લગ્ન ખર્ચ બચી જશે.
હવે ગાયકવાડ પરિવારે નક્કી કર્યું છે કે આ અઢાર લાખ રૂપિયા માંથી આશરે ૧૫૦૦ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
ડોન છોટા રાજન ને કોરોના થયો.એઇમ્સ માં દાખલ…
ધારાસભ્યના આ નિર્ણયને કલ્યાણની જનતાએ બિરદાવી લીધું છે.
