News Continuous Bureau | Mumbai
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ સર્વે વિવાદ હજુ ઠંડો પડ્યો નથી કે હવે કર્ણાટકમાં વધુ એક વિવાદના એંધાણ વર્તાયા છે.
આ વિવાદ કર્ણાટકમાં ટીપુ સુલતાનના સમયમાં બનેલી જામા મસ્જિદને લઈને છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે વાસ્તવમાં તે મસ્જિદની જગ્યાએ હનુમાન મંદિર હતું.
જામા મસ્જિદ બેંગ્લોરથી 120 કિમી દૂર શ્રીરંગપટનામાં આવેલી છે.
એવું કહેવાય છે કે ટીપુ સુલ્તાને તેનું નિર્માણ કર્યું હતું, પરંતુ કેટલાક હિંદુ સંગઠનો માને છે કે ટીપુ સુલતાન ખરેખર મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી.
આ કારણોસર હવે નરેન્દ્ર મોદી વિચાર મંચે તે મસ્જિદમાં પૂજા કરવાની માગ ઉઠાવી છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટમાં આવતીકાલે આટલા વાગે થઇ શકે છે સુનાવણી.. જાણો વિગતે