Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરે સાથે મિત્રતા મોંઘી પડશે, ભાજપના આ મિત્રએ આપી સલાહ. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે રાજ ઠાકરે(Raj Thackeray) સાથે ભાજપ(BJP)ની દોસ્તી વધી રહી છે, તેની સામે ભાજપના સાથીદાર આરપીઆઈ(RPI)ના નેતા રામદાસ આઠવલે (Ramdas Athawale)એ પોતાના મિત્ર પક્ષ ભાજપને ચેતવણી આપી છે.
રામદાસ આઠવલેએ ફરી એકવાર MNS અને ભાજપ વચ્ચે વધતી નિકટતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. રાજ ઠાકરે(Raj Thackeray) સાથેનું જોડાણ ભાજપને મોંઘુ પડશે એવી ચેતવણી પણ રામદાસ આઠવલેએ આપી દીધી છે.

રામદાસ આઠવલેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 'સબકા સાથ, સબકા વિકાસ'ની નીતિને અનુસરે છે. જો ભાજપ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરશે, તો તે વડાપ્રધાનના વિચારની વિરુદ્ધની ભૂમિકા હશે.

સાંગલી(Sangli)ની મુલાકાતે રહેલા રામદાસ આઠવલેએ ફરી એકવાર કહ્યું હતું કે ભાજપને MNS સાથે ગઠબંધન કરવાની કોઈ જરૂર નથી. ભાજપને MNSની જરૂર નથી જ્યારે હું તેમની સાથે છું.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં પગ મુક્યો છે તો જોજો!!!! રાજ ઠાકરેને ભાજપના આ નેતાએ આપી ચેતવણી; જાણો વિગતે.

રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને આરપીઆઈ સત્તામાં આવશે અને અમારી ભૂમિકા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવાની છે. આ દરમિયાન રાજ ઠાકરેને તેમણે આડે હાથ લીધા હતા. બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ની ભૂમિકા બધા મુસ્લિમોને હેરાન કરવાની ન હતી. તેથી, રાજ ઠાકરે બાળાસાહેબ ની નકલ કરી શકતા નથી. બાળાસાહેબ ની નકલ કરવી સરળ કામ નથી.

રાજ ઠાકરે સતત ધ્વજના રંગો અને પોતાની ભૂમિકા બદલતા રહે છે. હવે તેઓ ભગવો રંગ પહેરીને સમાજમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેસરી શાંતિના વારકારી સંપ્રદાયનો રંગ છે. રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજ ઠાકરેના વલણ સાથે સહમત નથી.
 

Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Supriya Sule NCP Sharad Pawar Statement “અસલી રાષ્ટ્રવાદી કોની?” સુપ્રિયા સુળેએ વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, પવાર સાહેબના વારસા પર કરી મોટી વાત
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Exit mobile version