Site icon News Continuous Bureau | Mumbai

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું, ‘હિન્દુસ્તાનમાં પેદા થનાર દરેક વ્યક્તિ હિંદુ, તેને ધર્મ સાથે જોડવું ખોટું’

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક કેરળ સરકારની ટીકા તો ક્યારેક અન્ય કોઈ મુદ્દે તેમના નિવેદનો પર ચર્ચાઓ શરૂ થઈ જાય છે.

Kerala Governor Arif Mohammad Khan said,

Kerala Governor Arif Mohammad Khan said,

News Continuous Bureau | Mumbai

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક કેરળ સરકારની ટીકા તો ક્યારેક અન્ય કોઈ મુદ્દે તેમના નિવેદનો પર ચર્ચાઓ શરૂ થઈ જાય છે. હવે હિન્દુ ધર્મ પર તેમનું એક નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. તેમણે કહ્યું કે જે પણ વ્યક્તિ ભારતમાં પેદા થયો છે તે હિંદુ જ છે. તેમણે કહ્યું કે આ વાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહેમદ ખાન કહેતા હતા અને હું તેમને અનુસરું છું.

Join Our WhatsApp Channel

‘ભારતમાં જન્મેલા અને રહેતા તમામ હિંદુ’

મહારાષ્ટ્રના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે હું અલીગઢથી ભણ્યો છું. તેના સ્થાપક સર સૈયદે કહ્યું હતું કે તેઓ હિંદુ શબ્દને ધર્મ સાથે જોડતા નથી. તેમણે કહ્યું કે મારું માનવું છે કે હિન્દુસ્તાનમાં જન્મ લેનારા, રહેનાર, હિન્દુસ્તાનની ધરતી પર ઉગેલું અનાજ ખાનાર, હિન્દુસ્તાનનું પાણી પીનાર દરેક વ્યક્તિને અધિકાર છે કે તેને હિંદુ કહેવામાં આવે. તેમણે કહ્યું કે તમે આરબ દેશમાં ચાલ્યા જાઓ. તમે ભલે હિંદુ, મુસ્લિમ કે ઈસાઈ હો, તેઓ તમને હિન્દી જ કહે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં એપલ એ પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો છે ત્યારે તેના ઉદ્ઘાટન સમયે એક એપલનો ચાહક સાવ નવી વસ્તુ લઈને પહોંચ્યો, સ્ટોરની બહાર લાંબી લાઈનો. જુઓ વિડિયો.

મારો કેરળ સરકાર સાથે કોઈ વિવાદ નથી – રાજ્યપાલ

કેરળ સરકાર સાથેના વિવાદ પર બોલતા રાજ્યપાલે કહ્યું કે રાજભવનનો મુખ્યમંત્રી સાથે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે વિવાદ ત્યારે જ થાય છે જ્યારે તમે કોઈ બીજાના કાર્યક્ષેત્રમાં અતિક્રમણ કરો છો. યુનિવર્સિટીમાં રાજ્યપાલને કુલપતિ બનાવ્યા જ એટલા માટે છે કે જેથી યુનિવર્સિટી સ્વાયત્ત રહે અને સરકાર તેમાં દખલ ન કરે. હું તેની સ્વાયત્તતા બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. 

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version