Site icon News Continuous Bureau

મહિલાએ ગર્ભપાત માટે પતિની પરવાનગી લેવાની જરૂર નથી- કેરળ હાઈકોર્ટ

News Continuous Bureau | Mumbai

કેરળ હાઈકોર્ટે(Kerala High Court) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે જો કોઈ ગર્ભવતી મહિલા(pregnant woman) ગર્ભપાત કરાવવા ઈચ્છે છે તો તેને આવું કરવા માટે પતિની મંજૂરીની કોઈ જરૂર નથી.કોર્ટે કહ્યું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટમાં(Medical Termination of Pregnancy Act) એવી કોઈ જોગવાઈ નથી, જેના હેઠળ મહિલાએ ગર્ભપાત(Abortion) કરાવવા માટે તેના પતિની પરવાનગી લેવી પડે. આનું કારણ એ છે કે સ્ત્રી જ ગર્ભાવસ્થા અને પ્રસૂતિની પીડા અને તણાવ સહન કરે છે.કોર્ટે આ આદેશ કોટ્ટયમની 21 વર્ષીય યુવતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. જેમાં યુવતીએ તબીબી શરતો અનુસાર ગર્ભપાતની પરવાનગી માંગી હતી. ગર્ભવતી સ્ત્રી કાયદેસર રીતે ડિવોર્સી અથવા વિધવા નથી.

Join Our WhatsApp Community

કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ વીજી અરુણે(Justice VG Arun) કહ્યું કે યુવતીનો તેના પતિ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે યુવતીએ આ અંગે તેના પતિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાના પતિએ તેની સાથે રહેવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી. તેથી, કોર્ટે માન્યું કે આ તેના પરિણીત જીવનમાં (married life) ધરખમ પરિવર્તન સમાન છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની શિંદે સરકારને આપ્યો ઝટકો- રાજ્યપાલને 12 ધારાસભ્યોના નામોની યાદી પર આ તારીખ સુધી નિર્ણય ન લેવાનો આદેશ

'યુવાન પેઢી લગ્નને ખરાબ માને છે'

તાજેતરમાં જ કેરળ હાઈકોર્ટની બેન્ચે પતિ દ્વારા છૂટાછેડા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે યુવા પેઢી લગ્નને ખરાબ માની રહી છે. બેન્ચે કહ્યું કે એટલે જ લિવ-ઈન સંબંધો વધી રહ્યા છે. જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ સોફી થોમસની બેન્ચે છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે કહ્યું કે યુવા પેઢી લગ્નને ખરાબી તરીકે જોઈ રહી છે. લોકો મુક્ત જીવન માણવા માટે લગ્નના બંધનને ટાળે છે અને તેથી જ લિવ-ઇન રિલેશનશિપ વધી રહ્યા છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version