Site icon News Continuous Bureau | Mumbai

કેરળ સરકારે લીધો મહત્વનો નિર્ણય.. જાહેર સેવામાં આર્થિક રીતે નબળા લોકો માટે 10% ક્વોટા લાગુ કર્યો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

03 નવેમ્બર 2020

કેરળ પબ્લિક સર્વિસ કમિશન (PSC) એ નક્કી કર્યું છે કે સામાન્ય કેટેગરીમાં આર્થિક રીતે નબળા વિભાગો (EWS) માટે સરકારી નોકરીમાં 10% અનામત લાગુ કરશે. આ નિયમ તમામ જોબ માટે લાગુ કરવામાં આવશે, જે માટે કેબિનેટ ક્વોટા દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. ઓનલાઇન અરજી અને પ્રોફાઇલમાં જરૂરી સુધારા કરવામાં આવશે તેમજ જે આ નોકરી માટે લાયક છે, તેઓએ 23 ઓક્ટોબર સુધીમાં આવેદનપત્ર ભરવાના હતાં. જેની તારીખ હવે 14 નવેમ્બરના મધ્યરાત્રિ સુધી વધારી દેવામાં આવી છે. 

કેન્દ્ર દ્વારા અગાઉ એસસી / એસટી અને અન્ય પછાત સમુદાયોને આપવામાં આવતી 50% અનામતને અસર કર્યા વિના બંધારણના 103 મા સુધારાના આધારે 10% આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે.  સામી ચૂંટણીએ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી વિવિધ રાજકીય પક્ષો અને સંથાઓ કેરળ સરકારના આ નિર્ણય નો વિરોધ પણ કરી રહયાં છે.  

જે કુટુંબની ચાર લાખ રુ.થી ઓછી આવક ધરાવતા પરિવારોના ઉમેદવારો આ અનામત માટે પાત્ર બનશે. જ્યારે ગ્રામ્ય પંચાયતોમાં 2 એકરથી વધુ જમીન અથવા નગરપાલિકાઓમાં 75 સેન્ટથી વધુ અને કોર્પોરેશનની હદમાં 50 સેન્ટથી વધુની જમીન ધરાવતા પરિવારોના ઉમેદવારો આ નોકરીને પાત્ર રહેશે નહીં.

MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
Exit mobile version