Site icon

Kerala: SFIનો પ્રોટેસ્ટ ન રોકી શકી પોલીસ, ભડક્યા કેરળના રાજ્યપાલ, રસ્તા પર ખુરશી નાખી કર્યા ધરણા.. જુઓ વિડીયો..

Kerala: કોલ્લમના નીલામેલમાં એસએફઆઈના કાર્યકરોના પ્રદર્શન પછી રાજ્યપાલે તેમની કાર રોકી, કારમાંથી બહાર નીકળ્યા, નજીકની ચાની દુકાનમાંથી ખુરશી કાઢી અને રસ્તાના કિનારે ધરણા પર બેસી ગયા.

Kerala Waved Black Flags, Kerala Governor Stops Vehicle, Stages Sit-In On Roadside

Kerala Waved Black Flags, Kerala Governor Stops Vehicle, Stages Sit-In On Roadside

News Continuous Bureau | Mumbai 

Kerala: સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ શનિવારે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં કાળા ઝંડા લઈને મોટી સંખ્યામાં દેખાવકારો રાજ્યપાલ વિરુદ્ધ કોલ્લમ જિલ્લાના નીલમેલ પહોંચ્યા હતા. આ જોઈને આરીફ મોહમ્મદ ખાન ગુસ્સે થઈ ગયા અને SFI કાર્યકરોની ધરપકડની માંગ કરી. જ્યારે SFI કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું, ત્યારે તે પોતાની કારમાંથી બહાર આવ્યા અને દેખાવકારોની ધરપકડની માંગ સાથે રસ્તાની બાજુની દુકાનની સામે બેસી ગયા. આરીફ મોહમ્મદ  ખાને એમસી રોડ પરની દુકાનમાંથી ખુરશી લીધી અને ત્યાં બેસી ગયા અને દેખાવકારો સામે કાર્યવાહીની માંગ કરી.

Join Our WhatsApp Community

પ્રદર્શનકારીઓને આપવામાં આવી રહી છે સુરક્ષા 

ટીવી ચેનલો પર પ્રસારિત થયેલા વિડિયોમાં ગુસ્સામાં આવેલ ખાન પોલીસકર્મીઓ સાથે કડક સ્વરમાં વાત કરતા જોઈ શકાય છે. પોલીસ ઉપરાંત અન્ય અધિકારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને સુરક્ષા આપવામાં આવી રહી છે. રાજ્યપાલે કહ્યું, ‘હું અહીંથી નહીં જઉં. પોલીસ કાયદો તોડશે તો તેનો અમલ કોણ કરશે? રાજ્યપાલ એક કાર્યક્રમ માટે કોટ્ટરક્કરા જઈ રહ્યા હતા ત્યારે રાજ્યમાં સત્તારૂઢ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) ની વિદ્યાર્થી પાંખ એસએફઆઈના ઘણા સભ્યોએ રસ્તા પર કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો.

  સરકાર અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ?

આરીફ મોહમ્મદ ખાન અને ડાબેરી સરકાર વચ્ચે રાજ્યની યુનિવર્સિટીઓની કામગીરી અને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કેટલાક બિલ પર રાજ્યપાલ દ્વારા હસ્તાક્ષર ન કરવા સહિતના અનેક મુદ્દાઓ પર તણાવ છે. કેરળમાં શાસક ડાબેરી મોરચાની સરકાર અને ખાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક અણધાર્યા પગલામાં, રાજ્યપાલે ગુરુવારે માત્ર છેલ્લો ફકરો વાંચીને વિધાનસભામાં તેમનું સંબોધન સમાપ્ત કર્યું હતું. આ રીતે તેમણે સરકાર પ્રત્યે પોતાની નારાજગી દર્શાવી હતી. તે જ સમયે, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, તેમના કેબિનેટ સાથીદારો અને શાસક એલડીએફ ગઠબંધનના ધારાસભ્યો શુક્રવારે સાંજે રાજભવન ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજે 6.30 થી 7.30 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી કોઈ પણ આવ્યું ન હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો : Operation Lotus: દિલ્હીમાં ‘ઓપરેશન લોટસ’ 2.0 ? ભાજપ 7 AAP ધારાસભ્યોને આપી રહી છે આટલા કરોડની ઓફર… સીએમ અરવિંદ કેજરીવાલનો મોટો દાવો..

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version