Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા અનિલ પરબ ઉપર ભાજપના નેતા કિરીટ સોમૈયા એ લગાવ્યા ગંભીર આરોપ. હવે કેસ ચાલશે…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
 ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ અને પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબ વિરુદ્ધ લોકાયુક્ત અદાલતમાં અરજી દાખલ કરી છે.


   કિરીટ સોમૈયાએ આરોપ મૂક્યો છે કે, પરિવહન મંત્રી અનિલ પરબે રાજ્ય સરકારની મ્હાડાની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડીને તેના પર બાંધકામ પણ કર્યું છે. આ સંદર્ભે લોકાયુક્ત માં સમગ્ર બનાવની તપાસ કરવાની અપીલ પણ કરી  છે.
   છેલ્લા કેટલાય સમયથી કિરીટ સોમૈયા શિવસેના પાર્ટી પ્રમુખ ની સાથે બીજા નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા આવ્યા છે  પોતે સરકારની ત્રણ વિકેટ પાડશે એવું પણ એમણે જાહેર કર્યું છે.
   ઠાકરે સરકારમા ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો જ જાય છે. સરકારના એક પછી એક મંત્રી અને નેતાઓના કાળા કારનામાં લોકો સમક્ષ ઉઘાડા પડતા જાય છે.હવે જોવાનું છે કે કિરીટ સોમૈયા એ લગાવેલા આરોપ સામે પરિવહન મંત્રી શું જવાબ આપે છે.

Join Our WhatsApp Channel
Chandrapur Police Mobile Recovery। ચંદ્રપુર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૧૧૮ મોબાઈલ શોધી કાઢી અસલી માલિકોને સોંપ્યા
Bomb Scare in Pune। પુણેના હડપસરમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ ૭ કલાકનું ટાઈમર જોઈ પોલીસ સ્તબ્ધ
NEET Paper Leak Case।NEET પેપર લીક પાછળ સાયબર એક્સપર્ટનું ભેજું! ધનંજય લોખંડેએ કબૂલ્યું આખું ષડયંત્ર, તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
Maharashtra Weather Update। જેનો ડર હતો તે જ થયું મહારાષ્ટ્રના 13 જિલ્લાઓ પર ખતરો, બપોરે 12 થી 4 દરમિયાન ઘરની બહાર ન નીકળવા ચેતવણી
Exit mobile version