Site icon News Continuous Bureau

પડતા પર પાટું. હવામાન વિભાગની આગાહી: મહારાષ્ટ્રના આ ભાગોમાં આગામી 4 દિવસ પડશે ભારેથી-અતિભારે વરસાદ

હવામાન વિભાગ (આઈએમડી) એ ફરી એકવાર નૈઋત્યના ચોમાસાની તોફાની અસર હજી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 

આઈએમડીએ આગાહી કરી છે મધ્ય મહારાષ્ટ્રના પુણે તથા કોલ્હાપુર જિલ્લામાં પણ 28 અને 29 જુલાઈના રોજ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Community

મુંબઈ, થાણે અને પાલઘરમાં 29,30 અને 31 જુલાઈ દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી શક્યતા છે 

કોંકણના રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં 28-29 જુલાઈ દરમિયાન ભારે વર્ષા (યલો એલર્ટ) જ્યારે 30-31, જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વર્ષા (ઓરેન્જ) થવાની સંભાવના છે.  

સાથે જ હવામાન ખાતાએ રાજ્યના માછીમારોને પણ 28થી 31 જુલાઈ દરમિયાન દરિયામાં નહીં જવાની ચેતવણી આપી છે. 

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પડેલા મુશળધાર વરસાદને પગલે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 

‘ઓક્સિજનના અભાવથી કોઈનું મોત નથી થયું’ તેમ કહેનાર કેન્દ્રએ હવે રાજ્યો પાસેથી માંગ્યા મોતના આંકડા.. જાણો શું છે સરકારનો પ્લાન

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version