Site icon News Continuous Bureau | Mumbai

ઘાત ગઈ! ભારે વરસાદને કારણે વિશ્વવિખ્યાત અજન્ટા ગુફા પર આવ્યું હતું મધરાતે આ સંકટ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રમાં ફરી ચોમાસું જામ્યું છે ત્યારે બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ઔરંગાબાદમાં આવેલી પ્રખ્યાત અજન્ટા ગુફા પર ભેખડ ધસી પડી હોવાની દુર્ઘટના બની હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી તેમ જ ગુફાને પણ કોઈ ખાસ નુકસાન થયું નથી.

વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરનાર પોલીસ ટીમને ક્લીન ચિટ, ગેંગસ્ટરની પત્ની રિચાના આરોપો પર તપાસ પંચે આ કહી વાત 

બે દિવસથી ઔરંગાબાદ પરિસરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે મધરાતે અજન્ટાની ગુફા નંબર સાતના માથા પર મોટી ભેખડ ધસી પડી હોવાનું પુરાતત્ત્વ ખાતાના ધ્યાનમાં આવ્યું હતું. સદ્નસીબે આ બનાવ રાતના સમયે થયો હોવાથી એ સમયે ત્યાં કોઈ પર્યટક હાજર નહોતો, પરંતુ ગુફાની તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી તેમ જ ગુફાને પણ બહુ નુકસાન થયું નહોતું. બુધવારે સવારે ગુફાની બહાર રહેલા પથ્થરોને હટાવી દેવામાં આવ્યા હતા.
અજન્ટા ગુફાની આજુબાજુના ડુંગર પરથી ભેખડ ધસી પડવાના અનેક વખત બનાવ બનતા હોય છે, પરંતુ પુરાતત્ત્વ ખાતા દ્વારા નિયમ મુજબ એ બાબતે ગુપ્તતા રાખવામાં આવતી હોય છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version