Site icon News Continuous Bureau | Mumbai

દારૂની દુકાનના નામ દેવી-દેવતાના અને મહાનપુરુષોના નામ પરથી રાખ્યા તો આવી બનશે… મહારાષ્ટ્ર સરકારે નામ બદલવા આપી આટલા દિવસની મુદત. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

થોડા દિવસ પહેલા મુંબઈ મહાગનરપાલિકાએ દારૂની દુકાનના નામ મહાન વ્યક્તિઓ અને કિલ્લાઓ પરથી રાખવા પર મનાઈ ફરમાવતો હુકમ બહાર પાડ્યો હતો. હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યભરમાં આવેલી દારૂની દુકાનો અને બારને દેવી-દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામ પર રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં પણ હાલના નામ બદલવા માટે દારૂની સંસ્થાઓ અને બારને 30 જૂન સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "રાજ્યના કિલ્લાઓ તેમજ રાષ્ટ્રીય નાયકો વિશે દરેક વ્યક્તિના મનમાં વિશ્વાસ છે." તેથી, જો દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામનો ઉપયોગ કરવામાં આવે છે, તો દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓનું અપમાન ગણાશે.  આ ઉપરાંત ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. તે સામાજિક વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે. તેથી, રાજ્યમાં દારૂની દુકાનો અને બારને કોઈપણ રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાના નામ આપવામાં ન આવે, એમ આદેશમાં કહેવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  હવે લડાઈ સીધેસીધી હિંદુત્વની. જો ભગવાન રામ ન હોત તો ભાજપ શું કરત? ઉદ્ધવ ઠાકરેનો સવાલ… જાણો વિગત…

ગૃહ વિભાગે આ સંદર્ભે એક યાદી બહાર પાડી છે. તેમાં 56 રાષ્ટ્રીય નાયકો અને મહાનુભાવોના નામ અને રાજ્યના 105 કિલ્લાના નામ સામેલ છે. હાલમાં, દારૂની દુકાનો અને બારમાં દેવી-દેવતાઓ, રાષ્ટ્રીય નાયકો અને કિલ્લાઓના નામ છે, પરંતુ તે 30 જૂન સુધીમાં બદલવા જોઈએ, એમ ગૃહ વિભાગે જણાવ્યું હતું.

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version