Site icon

Lok Sabha Election 2024: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, પશ્ચિમ બંગાળમાં જ્યાં વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યાં વોટર કાર્ડ વગર પણ કરી શકાશે મતદાન.

Lok Sabha Election 2024: વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં લોકોને મતદાર સ્લિપ સાથે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. મતદાનના એક કે બે દિવસ પહેલા રાજકીય પક્ષો દ્વારા મતદાર સ્લિપનું વિતરણ કરવામાં આવે છે અથવા તે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

Lok Sabha Election 2024 Election Commission's big decision, in West Bengal, where the cyclone has wreaked havoc, voting can be done even without a voter card.

Lok Sabha Election 2024 Election Commission's big decision, in West Bengal, where the cyclone has wreaked havoc, voting can be done even without a voter card.

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં તાજેતરના વાવાઝોડું મતદાનને અસર ન કરે તેની ખાતરી કરવા ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે નિવેદન આપતા કહ્યું હતું કે તે સુનિશ્ચિત કરશે કે જલપાઈગુડી શહેર, મયનાગુરી અને અન્ય ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં મતદારો તેમના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવાથી વંચિત ન રહે. ભલે રવિવારના દિવસે થયેલ વિનાશને કારણે તમારા મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો બગડી ગયા હોય અથવા ખોવાઈ ગયા હોય તો પણ તમે મતદાન કરી શકશો. 

Join Our WhatsApp Community

ચૂંટણી પંચના ( Election Commission ) અધિકારીએ સોમવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં લોકોને મતદાર સ્લિપ સાથે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. મતદાનના એક કે બે દિવસ પહેલા રાજકીય પક્ષો દ્વારા મતદાર સ્લિપનું વિતરણ કરવામાં આવે છે અથવા તે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

 જલપાઈગુડી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક તોફાન અને ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા..

હકીકતમાં, રવિવારે જલપાઈગુડી ( West Bengal ) શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક વાવાઝોડું ( storm ) અને ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને 200 થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા. આ પછી ઘણા લોકોએ આ વિસ્તારોમાં મતદાન ( voting ) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા લોકોના મતદાર આઈડી કાર્ડ ખોવાઈ ગયા છે. તેથી આવા લોકોને વિવિધ કારણોસર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Katchatheevu: શું મોદી સરકાર કચ્ચાથીવુ ટાપુ પાછો લેશે? આ અંગે શ્રીલંકાના મંત્રીએ આપ્યું આ નિવેદન..

આ બધાની વચ્ચે ચૂંટણી પંચે પણ આમાં સક્રિયતા દેખાડતા મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ એક આપત્તિ અને ઈમરજન્સી છે. ઘણા લોકોના ઘરોને નુકસાન થયું છે અને તેઓએ લગભગ બધું ગુમાવ્યું છે. આ દુર્ઘટનામાં એવા ઘણા લોકો હશે જેમના મતદાર આઈડી કાર્ડ બગડી ગયા હશે અથવા ખોવાઈ ગયા હશે. અમે સુનિશ્ચિત કરીશું કે આવા લોકો પણ મતદાન કરી શકે. આવા લોકોને મતદાર સ્લીપનો ઉપયોગ કરીને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી સીટ પર 19 એપ્રિલે મતદાન થવાનું છે. ચૂંટણી પંચે વધુમાં કહ્યું હતું કે, અમારી પાસે એવા અહેવાલ છે કે રવિવારના તોફાનમાં 11 બૂથને પણ નુકસાન થયું છે. જો કે, અમારી પાસે મતદાનની તારીખ પહેલા બધું પુનઃસ્થાપિત કરવા માટે પૂરતો સમય છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Exit mobile version