Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: હું કોગ્રેસમાંથી રાજીનામું આપુ છું… 6 વખતના ધારાસભ્યએ પાર્ટી છોડી, ખડગેને માત્ર એક લીટીનો પત્ર લખી આપ્યું રાજીનામું..

Lok Sabha Election: ભરત નારાએ આસામમાં પાર્ટીના મીડિયા સેલના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું. તેઓ પોતાની પત્ની રાની નારાને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી નારાજ હતા. તેમણે ખડગેને મોકલેલા એક લીટીના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.

Lok Sabha Election I am resigning from Congress... 6 time MLA left party, wrote only one line letter to Kharge resigning..

Lok Sabha Election I am resigning from Congress... 6 time MLA left party, wrote only one line letter to Kharge resigning..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય ભરત ચંદ્ર નારાએ ( bharat chandra narah ) સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. નાઓબોઇચાના ધારાસભ્યએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું, એમ નારાએ લખ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ પહેલા ભરત નારાએ આસામમાં ( Assam ) પાર્ટીના મીડિયા સેલના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું. તેઓ પોતાની પત્ની રાની નારાને લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) માટે ટિકિટ ન મળવાથી નારાજ હતા. તેમણે ખડગેને મોકલેલા એક લીટીના રાજીનામા ( Resignation )  પત્રમાં જણાવ્યું હતું કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ( Congress ) તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. જો કે, ભરત નારા કોંગ્રેસની ટિકિટ પર છ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ 1985 થી 2011 સુધી સતત ધકુખાના મતવિસ્તારમાંથી જીત્યા અને રાજ્યમાં કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2021 માં, તેઓ લખીમપુર જિલ્લાની નાઓબોઇચા બેઠક પર ગયા અને ફરીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા.

આ સમાચાર પણ વાંચો :  Moscow Concert Hall Attack: ઈસ્લામિક કટ્ટરપંથીઓએ મોસ્કો પર હુમલો કર્યો, પરંતુ ગુનેગારો યુક્રેન શું કામ ભાગી રહ્યા હતા.. પુતિનનું મોટું નિવેદન.

 રાની નારા આસામની લખીમપુર સીટ પર ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતી..

દરમિયાન, આ વખતે પણ રાની નારા આસામની લખીમપુર સીટ પર ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતી. તે આ લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત જીતી ચૂકી છે અને એક વખત રાજ્યસભામાં પણ ચૂંટાઈ છે. તેમજ રાની નારાએ કેન્દ્રમાં મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. જો કે આ વખતે કોંગ્રેસે રાણી નારાને બદલે લખીમપુર સીટ પરથી ઉદય શંકર હજારિકાને મેદાનમાં ઉતાર્યા છે. જેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાજપ છોડી દીધું હતું. આથી નારાજ ભરત નારાએ હવે રાજીનામું આપ્યુ છે.

Trump Cancels Iran Attack ‘ટ્રમ્પ પર કોણ વિશ્વાસ કરે?’ ઇઝરાયલ જોતું રહી ગયું અને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એલાન કરી દીધું—’હવે હુમલો નહીં થાય!’
Trump Warns Iran Deal મધ્ય પૂર્વમાં વધશે તણાવ? ટ્રમ્પે ઈરાનને કહ્યું—’ડીલ કરો અથવા આત્મસમર્પણ કરો’
Tax Hikes On Petrol Diesel સરકારનો મોટો ઝટકો, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધાર્યો, જાણો સામાન્ય જનતા પર શું પડશે અસર
Trump New Tariffs ટ્રમ્પ સરકારને મોટો ઝટકો? નવા ટેરિફ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એકાએક મેદાને પડ્યા ૨૫ રાજ્યો
Exit mobile version