મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે સીધીથી સતના જઈ રહેલી બસ નહેરમાં ખાબકી છે.
દુર્ઘટના વખતે બસમાં 60 લોકો સવાર હતા.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી છે. બચાવ કામગીરી પણ હજુ ચાલી રહી છે.
