Site icon

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ, ટ્વીટ કરી આપી જાણકારી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

25 જુલાઈ 2020 

દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડની મોટી હસ્તીઓ આ વાયરસની ઝપેટમાં આવી ચુકી છે. એટલું જ રાજકીય નેતાઓ પણ કોરોના મહામારીના સંક્રમણમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક રાજકીય નેતા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  તેમણે પોતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, મારા પ્રિય લોકો, મને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરીક્ષણ બાદ મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું મારા બધા સાથીઓને અપીલ કરું છું કે જે કોઈ મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. મારી સાથે રહેતા લોકો ક્વોરોન્ટાઇનમાં ચાલ્યા જાય. ત્યારબાદ તેમણે અનેક ક્રમિક ટ્વીટ કર્યા. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે હું કોરોના વાયરસથી સંબંધિત તમામ સૂચનોનું પાલન કરું છું. ડોક્ટરની સલાહને અનુસરીને હું મારી જાતને ક્વોરોન્ટાઈ રાખું છું. હું મારા રાજ્યના લોકોને સાવચેત રહેવા અપીલ કરું છું, થોડી બેદરકારીથી કોરોનાને આમંત્રણ આપી શકે છે.  દેશના મુખ્યમંત્રીને કોરોના વાયરસથી ચેપ લાગવાની આ પહેલી ઘટના છે. 

નોંધનીય છે કે ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જોકે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની ગત સાંજે એક મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવતા વધુ લોકો સંપર્ક માં આવતા રહી ગયા હતા. રાજ્યના સીએમ કોરોના સંક્રમણ માં આવી જતા અહીં ભારે ચકચાર મચી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WUtCTO  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version