Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ટેસ્ટ હવે માત્ર 2200 રૂ.માં થશે, હોમ સર્વિસના 2800 : મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Channel

13 જુન 2020

શનિવારે મહારાષ્ટ્ર સરકારે કોવિડ -19 પરીક્ષણો (આરટી-પીસીઆર) ની મહત્તમ કિંમત 2200 રૂપિયા કરી છે. જયારે હોમ ડિલીવરી માટે વધુમાં વધુ મહત્તમ ભાવ રૂપિયા 2800 રાખવાની ઘોષણા મહારાષ્ટ્ર ના CM ઉદ્ધવ ઠાકરે એ કરી છે.  અગાઉ 26 મેના રોજ, આઇસીએમઆરએ COVID-19 ને શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રીઅલ-ટાઇમ પોલિમરેઝ ચેઇન રિએક્શન (RT-PCR) પરીક્ષણ માટે રૂ .4,500 ની કિંમત નક્કી કરી હતી. ત્યારબાદ તે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને ખાનગી લેબ્સ સાથે પરામર્શ કરીને COVID-19 પરીક્ષણ માટે પ્રાઇસ કેપ નક્કી કરી સાથે કામ કરવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે ભારતે હાલમાં છેલ્લાં 24 કલાકમાં 1,43,737 નમૂનાઓ સાથે 55,07,182 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારે લોકડાઉનની ફરીથી જાહેરાત કરી નથી અને આથી જ વધી રહેલા ચેપને ધ્યાન મા રાખી વધુને વધુ લોકો કોરોનાની ટેસ્ટ કરાવે એ હેતુ થી કોરોના ટેસ્ટ ના ભાવ ઘટાડવામાં આવ્યાં છે. સાથે જ લોકોને COVID-19 સામેની સલામતી અને સાવચેતી અંગેની સરકારની ગાઇડલાઈનનું પાલન કરવા તાકીદ કરી હતી.

FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
Supreme Court Shiv Sena Hearing ‘૫ માંથી ૩ ધારાસભ્યો તૂટે એટલે શું આખો પક્ષ જ સોંપી દેવાનો?’ સુપ્રીમ કોર્ટમાં વકીલનો તીખો સવાલ
JSSC Recruitment Exams હાઈકોર્ટનો મોટો આદેશ JSSCCGL સહિતની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય સ્થગિત
MLA Disqualification Shinde Faction શિંદે જૂથના ધારાસભ્યોની ખુરશી જોખમમાં? સુપ્રીમ કોર્ટે કહ્યું ‘ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અમને સંપૂર્ણ અધિકાર’
Exit mobile version