News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના સૌથી નજીકના ગણાતા તેમજ ઠાકરે પરિવારના રાઝદાર કહી શકાય તેવા ધારાસભ્યો(MLAs)એ હવે મુંબઈ(Mumbai) છોડવાનું શરૂ કરી દીધું છે. આ એવા ધારાસભ્યો છે જે ગમે તે પરિસ્થિતિમાં ઠાકરે પરિવાર(Thackeray Family) સાથે છેડો ફાડે તેમ નથી. હવે સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે આ ધારાસભ્યોએ મુંબઈ છોડવાની જરૂર કેમ પડી? શું આ ધારાસભ્યો(MLAs)ને ડિસ્કોલીફાય થવાનો ડર સતાવી રહ્યો છે? કે પછી તેમને મોકલવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guwahati) જઈ રહ્યા છે તેમના નામ આ મુજબ છે. મંગેશ કુડાલકર, સદા સરવણકર, દાદા ભુસે, દીપક કેસરકર, સંજય રાઠોડ અને દિલીપ લાંડે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા
આ તમામ ધારાસભ્યોના ગુવાહાટી પહોંચી જવાની સાથે જ એકનાથ શિંદે ને પૂરતું સંખ્યાબળ મળી જશે.
